શોધખોળ કરો

LokSabha: 18મી લોકસભામાં આજે યુપી પુનરાવર્તન કરશે સાડા 5 દાયકા જુનો ઇતિહાસ, જાણો શું છે ખાસ

UP Politics: દેશની વર્તમાન પરિસ્થિતિની ઉત્તરપ્રદેશ વિના કલ્પના પણ કરી શકાતી નથી. પછી તે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે દેશની લોકસભાની. અહીંના પરિણામોની અસર સમગ્ર દેશ પર જોવા મળી રહી છે

UP Politics: દેશની વર્તમાન પરિસ્થિતિની ઉત્તરપ્રદેશ વિના કલ્પના પણ કરી શકાતી નથી. પછી તે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે દેશની લોકસભાની. અહીંના પરિણામોની અસર સમગ્ર દેશ પર જોવા મળી રહી છે. આવું જ કંઈક તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની આકાંક્ષા ઉત્તરપ્રદેશમાં પૂરી થઈ શકી નથી, જે રાજ્ય પર તેને સૌથી વધુ આશા અને વિશ્વાસ હતો. જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો વિજય થયો હતો.

હવે તેનું મહત્વ લોકસભા સત્રમાં જોવા મળશે. 18મી લોકસભાના પ્રથમ સત્રના ત્રીજા દિવસે યુપી તેના સાડા પાંચ દાયકા જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું છે. દેશના રાજકીય ઈતિહાસમાં આ ત્રીજીવખત બનશે જ્યારે વડાપ્રધાન અને વિપક્ષના નેતાનો સંસદીય ક્ષેત્ર એક જ રાજ્યમાં હશે.

એકતરફ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે તો બીજીતરફ વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી હશે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા, ત્યારે રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. બાદમાં રાહુલે વાયનાડમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે રાહુલ રાયબરેલીથી સાંસદ છે.

અગાઉ, જ્યારે બે વાર એવું બન્યું હતું કે વિપક્ષના નેતા અને વડાપ્રધાન એક જ સંસદીય ક્ષેત્ર ધરાવે છે, ત્યારે રાહુલના પિતા રાજીવ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીએ આ જવાબદારી ઉપાડી હતી.

ત્યારે રાજીવ અને સોનિયા હતા LOP 
1989માં જ્યારે દેશના પીએમ વિશ્વનાથ પ્રતાપસિંહ યુપીના ફતેહપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા ત્યારે અમેઠીના સાંસદ રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા. બરાબર 10 વર્ષ પછી જ્યારે અટલ બિહારી વાજપેયી લખનઉથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા, અને પીએમ બન્યા ત્યારે અમેઠીથી ચૂંટણી જીતનાર સોનિયા ગાંધીએ LOPની કમાન સંભાળી.

તમને જણાવી દઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે રાત્રે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી વિપક્ષના નેતાનું પદ સંભાળશે. હવે રાહુલનો દરજ્જો કેબિનેટ મંત્રીની સમકક્ષ હશે અને ઘણા નિર્ણયોમાં તેમનો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે.

                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget