શોધખોળ કરો

Uttar Pradesh : રામચરિત માનસને લઈ યોગી આદિત્યનાથ લાલઘુમ, કોંગ્રેસે સૌકોઈને ચોંકાવ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી આ પવિત્ર ગ્રંથને બાળીને દેશ અને દુનિયામાં રહેતા કરોડો હિન્દુઓને અપમાનિત કરવાનું કામ કરી રહી છે.

Acharya Pramod Praised CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વિધાનસભાને સંબોધિત કરીને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યને પણ સણસણતો જવાબ આપ્યો હતો. યોગી આદિત્યનાથના આ નિવેદનની કોંગ્રેસના નેતાએ ભારોભાર પ્રસંશા કરી છે. 

રામચરિત માનસને લઈને ટિપ્પણી પર વિવાદ શરૂ થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી આ પવિત્ર ગ્રંથને બાળીને દેશ અને દુનિયામાં રહેતા કરોડો હિન્દુઓને અપમાનિત કરવાનું કામ કરી રહી છે. જેને રાજ્યની જનતા બિલકુલ સાંખી  નહીં લે. 

સીએમ યોગીએ શું કહ્યું?

યોગી આદિત્યનાથે આજે વિધાનસભામાં રામચરિત માનસ વિવાદ પર કહ્યું હતું કે,  રામચરિતમાનસના સુંદરકાંડમાં એક ઘટના છે, જેમાં શ્રી રામ સમુદ્રમાંથી લંકા જવાનો રસ્તો પૂછે છે. રસ્તો ન મળવા પર તે 'ભય બિન હોય ના પ્રીત કી બાત' કહે છે અને સમુદ્રને ચેતવણી આપીને આગળની કાર્યવાહી કરે છે. પછી સમુદ્ર ભડકે છે અને શ્રી રામની સામે પોતાની વાત કહે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા સમાજવાદી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે, સમાજવાદી પાર્ટીનું કાર્યાલય આજે સંત તુલસીદાસજી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે અને રામચરિતમાનસ જેવા પવિત્ર ગ્રંથને બદલી રહી છે. અનાદર ભાવ સાથે તેને અપમાનિત કરવાનું કામ કરી રહી છે. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા તેને વાંધાજનક કહેવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે જ્યાં એ વાતને લઈને ગર્વની ભાવના હોવી જોઈએ કે ઉત્તર પ્રદેશ રામ અને કૃષ્ણની ભૂમિ છે. અહીં રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણ જેવા પવિત્ર પુસ્તકોની રચના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રહેવાસીઓ આ મામલે ગર્વ અનુભવે છે. તેવામાં શું તમે આ પવિત્ર ગ્રંથને સળગાવીને દેશ અને દુનિયામાં વસતા હિંદુઓને અપમાનિત કરવાનું કામ નથી કરી રહ્યા? આવી અરાજકતા કેવી રીતે સ્વીકારી લેવાય? તેથી જ મને એક પંક્તિ યાદ આવે છે 'જાકો પ્રભુ દારુન દુઃખ દેખી, તકિ માટી પહેલે હર લેહી' એટલે જે જે કંઈ પણ બચ્યું હતું, તેમ તેને પણ સ્વાહા કરી નાખ્યું. 

ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યએ તાજેતરમાં શ્રી રામચરિતમાનસની એક ચોપાઈને દલિત વિરોધી અને મહિલા વિરોધી ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમના આ નિવેદન બાદ સંત સમાજ અને ભાજપે પણ પોતાની કાર્યવાહી આપી હતી. અન્ય લોકો પણ તેમની ટિપ્પણીથી ખૂબ જ દુઃખી થયા હતા.

કોંગ્રેસના જ નેતાએ કર્યા યોગીના વખાણ

કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે યુપી વિધાનસભામાં બજેટ ભાષણ પર ચર્ચા દરમિયાન રામચરિત માનસને લઈને સીએમ યોગીના નિવેદનની પ્રશંસા કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું, રાજકીય વિરોધ તેની જગ્યા છે પરંતુ સત્તાની ભક્તિ સાથે સમાધાન કરી શકાતું નથી, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં શ્રી રામચરિત માનસનો પક્ષ લેવા અને રામાયણનું અપમાન કરનારા નેતાઓને ફટકારવા બદલ હું સીએમ યોગીની પ્રશંસા કરું છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Embed widget