શોધખોળ કરો

Waqf Amendment Bill: દેશભરમાં મુસ્લિમોના વિરોધની વચ્ચે વકફ એમેન્ડમેન્ટ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી

Waqf Amendment Bill: સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી, કોંગ્રેસ, AIMIM અને AAP દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર, દેશભરમાં મુસ્લિમ સંગઠનોનો વિરોધ.

President approves Waqf Bill: બંને સંસદો દ્વારા પસાર થયા બાદ વકફ સંશોધન બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મંજૂરી આપી દીધી છે. જો કે, આ નવા કાયદાને કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અલગ-અલગ અરજીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ સાથે જ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ શનિવારે (5 એપ્રિલ 2025) આ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે.

લોકસભામાં વકફ સુધારા બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા હતા. તે જ સમયે, રાજ્યસભામાં બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 વોટ પડ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારા પ્રસ્તાવો અવાજ મતથી પરાજય પામ્યા હતા.

AIMPLB દ્વારા આજે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, વિજયવાડા, મલપ્પુરમ, પટના, રાંચી, માલેરકોટલા અને લખનૌમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, 'શાસક પક્ષે બહુમતનો દુરુપયોગ કર્યો છે અને આ બિલ બળજબરીથી લાદવામાં આવ્યું છે.'

બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે. સરકારનું એમ પણ કહેવું છે કે આ કાયદાથી મુસ્લિમ મહિલાઓને ફાયદો થશે અને વકફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. 

ઉલ્લેખનીય છે કે નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી) દ્વારા એક મહિના પહેલા વક્ફ સુધારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, પાછળથી બિલ પર ચર્ચા કર્યા પછી બીજેડીએ પોતાના સાંસદોને સ્વતંત્ર રીતે મતદાન કરવા કહ્યું હતું.

આમ, વકફ સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે, પરંતુ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

લોકસભા અને રાજ્યસભામાં વકફ સુધારા બિલ પાસ થયા બાદ શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ બિલ હિન્દુત્વ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી, પરંતુ તેનો હેતુ તેમના ગેરકાયદેસર કામોને કાયદેસર બનાવવાનો છે. રાઉતે અહીં સુધી કહ્યું કે ભાજપના મોટા નેતાઓ તેમના સંપર્કમાં હતા અને તેમને આ બિલને સમર્થન આપવા માટે કહી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે તેમના કેટલાક સાથીદારો બહાર હતા, નહીં તો તેમના મત પણ આ બિલના વિરોધમાં પડ્યા હોત.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget