શોધખોળ કરો

Wayanad landslide: વાયનાડમાં ભૂસ્ખલનના કારણે 296 લોકોના મોત, થોડો સમય રોકવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં 296 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલનગ્રસ્ત મુંડક્કાઈ અને ચૂરલમાલામાં સેનાની આગેવાની હેઠળના શોધ અને બચાવ અભિયાને બુધવાર સુધીમાં 1,000 થી વધુ લોકોને બચાવ્યા હતા. ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે વાયનાડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. હજુ પણ 240 લોકો ગુમ છે.

રાત્રે રાહત અને બચાવ અભિયાન રોકી દેવામાં આવ્યું હતું. પરંતુ સવારે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. અવિરત વરસાદને કારણે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ બચાવ અભિયાનમાં પડકારો ઉભી કરી રહી છે.  સેનાએ માનવીય સહાયતા અને આપત્તિ રાહત (HADR) પ્રયાસોના સંકલન માટે કોઝિકોડ ખાતે બ્રિગેડિયર અર્જુન સેગન સાથે કર્ણાટક અને કેરળ સબ એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વિનોદ મેથ્યુની અધ્યક્ષતામાં એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે.

આર્મી, નેવી, એનડીઆરએફ સહિત બચાવ ટુકડીના 1,600 થી વધુ જવાનો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ સિવાય લગભગ 3,000 સ્થાનિક નાગરિકો પણ તેમને મદદ કરી રહ્યા છે.

સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે વાયનાડમાં ભારે વરસાદ આફત બની ગયો. સવારે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ત્રણ વખત ભૂસ્ખલન થયું હતું અને પર્વતની નીચે ચેલિયાર નદીના કેચમેન્ટમાં આવેલા ચાર ગામો ચૂરલમાલા, અટ્ટામાલા, નૂલપુઝા અને મુંડક્કઈમાં વિનાશ સર્જાયો હતો.

કેરળના વાયનાડમાં ભયાનક દુર્ઘટના બાદ ભારતીય સેનાએ રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.  ગુરુવારે, સૈનિકોએ રેકોર્ડ સમયમાં ભૂસ્ખલન સ્થળ નજીક નદી પર બેલી બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. વાયનાડથી સામે આવેલા એક વીડિયોમાં સેનાના જવાનો 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળે છે.

ભારતીય સેના દ્વારા વાયનાડમાં બેલી બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. પુલની મજબૂતાઈ ચકાસવા માટે સેનાએ પહેલા તેના વાહનોને નદીની બીજી બાજુએ ખસેડ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ બાંધકામ સાથે જોડાયેલા સેનાના જવાનોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. બ્રિજના નિર્માણથી હવે ભારે વાહનોને ભૂસ્ખલન સ્થળ પર લઈ જઈ શકાશે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Embed widget