શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs WI: ભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત, રસેલ અને બ્રાવોને ન મળ્યું સ્થાન
ભારત પ્રવાસ પર વેસ્ટ ઇન્ડિઝની ટીમને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.
![IND vs WI: ભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત, રસેલ અને બ્રાવોને ન મળ્યું સ્થાન West Indies announce squads for limited-overs series against India IND vs WI: ભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત, રસેલ અને બ્રાવોને ન મળ્યું સ્થાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/29232809/9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃભારત પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે આજે વન-ડે અને ટી-20 ટીમની જાહેરાત કરી છે જે ચોંકાવનારી છે. ટીમમાં આંદ્રે રસેલ અને ડ્વેન બ્રાવો જેવા મોટા નામ સામેલ નથી. જોકે, કેપ્ટન તરીકે પોલાર્ડને જાળવી રાખ્યો છે. ભારત પ્રવાસ પર વેસ્ટ ઇન્ડિઝની ટીમને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.
24 વર્ષીય યુવા વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે શાઇ હોપ વન-ડેમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. અબુ ધાબીમાં ચાલી રહેલી ટી-10 લીગમાં છ મેચ રમનાર દિગ્ગજ ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફિટ હોવા છતાં ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. બીજી તરફ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરનાર બ્રાવોને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડિઝે જીત હાંસલ કરી હતી પરંતુ ટી-20 સીરીઝમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)