શોધખોળ કરો

Earthquake : તુર્કીમાં તબાહી લાવનાર ભૂકંપ ભારત માટે આશિર્વાદ રૂપ, નિષ્ણાંતોનું ચોંકાવનારૂ તારણ

તેમણે કહ્યું હતું કે, ભારત મોટા પાયે ધરતીકંપોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કારણ કે તેની પાસે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)ના રૂપમાં સમર્પિત અને પ્રશિક્ષિત દળ છે.

Small Earthquakes : ભયાનક ભૂકંપે તુર્કી અને સીરિયામાં ધમરોળ્યા છે અને ચારેકોર વિનાશ વેર્યો છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય ઇમારતો ધરાશાયી થઈ છે. જ્યારે ડઝનેક નગરો અને શહેરો નિર્જન બની ગયા છે. આ રીતે ભૂકંપનો સામનો કરવા માટે ભારત કેટલું તૈયાર છે તેને લઈને પણ ચર્ચાએ જોર પકયું છે. પરંતુ નિષ્ણાંતોએ તો ભારતને લઈને ચોંકાવનારૂ અવલોકન કર્યું છે. 

નિષ્ણાતોનું કહેવું છે કે, ભૂકંપના નાના આંચકા ભારત માટે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રકારના ભૂકંપના નાના આંચકા ટેકટોનિક દબાણ ઘટાડવામાં અને ભારતને વિનાશક ભૂકંપથી બચાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં અસરકારક કાર્યવાહી અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની દિશામાં એક આદર્શ પરિવર્તન પણ જોવા મળ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ભારત મોટા પાયે ધરતીકંપોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કારણ કે તેની પાસે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)ના રૂપમાં સમર્પિત અને પ્રશિક્ષિત દળ છે. નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું હતું કે, જો લોકો અને સંસ્થાઓ મજબૂત ઇમારતો બનાવવા માટે આકરી મહેનત કરે તો નિયમોનું પાલન કરવામાં આવે તો મોટા પાયે આવનાર ધરતીકંપની અસર જરૂરથી ઘટાડી શકાય.

આ વિસ્તારમાં ભૂકંપની સંભાવના

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડાયરેક્ટર ઓપી મિશ્રાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સરહદની નજીક ભારતની પશ્ચિમ બાજુએ ટ્રિપલ જંકશન વારંવાર સૂક્ષ્મ સ્તરના ધરતીકંપોને કારણે દબાણમાં સતત ઘટાડો કરી રહ્યું છે. અહીં 4 અને 5ની તીવ્રતાના કેટલાક ભૂકંપ પણ આવ્યા છે. ટ્રિપલ જંકશન એ ત્રણ ટેક્ટોનિક પ્લેટની સીમાઓને મળવાનું બિંદુ છે. આ ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓમાં તે ખુબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર માનવામાં આવે છે અને ભૂકંપીય અને જ્વાળામુખીની પ્રવૃત્તિના મહત્વપૂર્ણ સ્થળો હોઈ શકે છે.

આ પ્લેટોની હિલચાલ પૃથ્વીની ઉપરની સપાટી પર દબાણ બનાવી શકે છે જે, ભૂકંપના સ્વરૂપમાં દેખાઈ શકે છે. મિશ્રાએ કહ્યું કે તુર્કીમાં બે ટ્રિપલ જંકશન હતા. તેમણે કહ્યું કે, આ પ્રદેશમાં કોઈ નાના ધરતીકંપ ન હોવાથી ત્યાં ઘણું દબાણ એકઠું થયું હતું. વૈજ્ઞાનિકે કહ્યું કે, ભારત ભૂકંપની દ્રષ્ટિએ એક સંવેદનશીલ પ્રદેશ છે, પરંતુ આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે દરરોજ અનેક નાના-નાના ભૂકંપ આવે છે. તેથી સંચિત ઉર્જા બહાર નીકળી જાય છે. નિષ્ણાતોના મતે ભૂકંપ દરમિયાન ઇમારતની રેઝોનન્ટ ફ્રીક્વન્સી (રેઝોનન્ટ ફ્રીક્વન્સી) તેને થતા નુકસાનને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ઇમારતોમાં સ્પંદનની કુદરતી ફ્રીક્વન્સી હોય છે જેને રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહેવાય છે જે તેમના સમૂહ, જડતા અને આકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ધરતીકંપ પર આધાર રાખીને જમીનની પ્રવૃત્તિ આ કુદરતી ફ્રીક્વન્સીઝને વિસ્તૃત કરી શકે છે. જેના કારણે ઇમારત તેની રેઝોનન્ટ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થાય છે.

દેશ આવી કટોકટીનો સામનો કરવા માટે તૈયાર

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, ભારતની 59 ટકા જમીન ભૂકંપ માટે સંવેદનશીલ છે. મિશ્રાએ કહ્યું હતું કે, મંત્રાલય સિસ્મિક માઇક્રોઝોનેશન અભ્યાસ દ્વારા દેશના સિસ્મિક હેઝાર્ડ ઝોનેશન મેપને એકીકૃત કરી રહ્યું છે. હાલમાં પાંચ લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા 30 શહેરો સિસ્મિક ઝોન ત્રણ, ચાર અને પાંચમાં છે અને આ પ્રોજેક્ટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. અસરકારક પ્રતિસાદ અને શમન તરફ એક દાખલો બદલાયો છે. આવી કટોકટીનો સામનો કરવા માટે દેશ સારી રીતે તૈયાર છે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget