શોધખોળ કરો

Earthquake : તુર્કીમાં તબાહી લાવનાર ભૂકંપ ભારત માટે આશિર્વાદ રૂપ, નિષ્ણાંતોનું ચોંકાવનારૂ તારણ

તેમણે કહ્યું હતું કે, ભારત મોટા પાયે ધરતીકંપોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કારણ કે તેની પાસે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)ના રૂપમાં સમર્પિત અને પ્રશિક્ષિત દળ છે.

Small Earthquakes : ભયાનક ભૂકંપે તુર્કી અને સીરિયામાં ધમરોળ્યા છે અને ચારેકોર વિનાશ વેર્યો છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય ઇમારતો ધરાશાયી થઈ છે. જ્યારે ડઝનેક નગરો અને શહેરો નિર્જન બની ગયા છે. આ રીતે ભૂકંપનો સામનો કરવા માટે ભારત કેટલું તૈયાર છે તેને લઈને પણ ચર્ચાએ જોર પકયું છે. પરંતુ નિષ્ણાંતોએ તો ભારતને લઈને ચોંકાવનારૂ અવલોકન કર્યું છે. 

નિષ્ણાતોનું કહેવું છે કે, ભૂકંપના નાના આંચકા ભારત માટે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રકારના ભૂકંપના નાના આંચકા ટેકટોનિક દબાણ ઘટાડવામાં અને ભારતને વિનાશક ભૂકંપથી બચાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં અસરકારક કાર્યવાહી અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની દિશામાં એક આદર્શ પરિવર્તન પણ જોવા મળ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ભારત મોટા પાયે ધરતીકંપોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કારણ કે તેની પાસે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)ના રૂપમાં સમર્પિત અને પ્રશિક્ષિત દળ છે. નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું હતું કે, જો લોકો અને સંસ્થાઓ મજબૂત ઇમારતો બનાવવા માટે આકરી મહેનત કરે તો નિયમોનું પાલન કરવામાં આવે તો મોટા પાયે આવનાર ધરતીકંપની અસર જરૂરથી ઘટાડી શકાય.

આ વિસ્તારમાં ભૂકંપની સંભાવના

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડાયરેક્ટર ઓપી મિશ્રાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સરહદની નજીક ભારતની પશ્ચિમ બાજુએ ટ્રિપલ જંકશન વારંવાર સૂક્ષ્મ સ્તરના ધરતીકંપોને કારણે દબાણમાં સતત ઘટાડો કરી રહ્યું છે. અહીં 4 અને 5ની તીવ્રતાના કેટલાક ભૂકંપ પણ આવ્યા છે. ટ્રિપલ જંકશન એ ત્રણ ટેક્ટોનિક પ્લેટની સીમાઓને મળવાનું બિંદુ છે. આ ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓમાં તે ખુબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર માનવામાં આવે છે અને ભૂકંપીય અને જ્વાળામુખીની પ્રવૃત્તિના મહત્વપૂર્ણ સ્થળો હોઈ શકે છે.

આ પ્લેટોની હિલચાલ પૃથ્વીની ઉપરની સપાટી પર દબાણ બનાવી શકે છે જે, ભૂકંપના સ્વરૂપમાં દેખાઈ શકે છે. મિશ્રાએ કહ્યું કે તુર્કીમાં બે ટ્રિપલ જંકશન હતા. તેમણે કહ્યું કે, આ પ્રદેશમાં કોઈ નાના ધરતીકંપ ન હોવાથી ત્યાં ઘણું દબાણ એકઠું થયું હતું. વૈજ્ઞાનિકે કહ્યું કે, ભારત ભૂકંપની દ્રષ્ટિએ એક સંવેદનશીલ પ્રદેશ છે, પરંતુ આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે દરરોજ અનેક નાના-નાના ભૂકંપ આવે છે. તેથી સંચિત ઉર્જા બહાર નીકળી જાય છે. નિષ્ણાતોના મતે ભૂકંપ દરમિયાન ઇમારતની રેઝોનન્ટ ફ્રીક્વન્સી (રેઝોનન્ટ ફ્રીક્વન્સી) તેને થતા નુકસાનને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ઇમારતોમાં સ્પંદનની કુદરતી ફ્રીક્વન્સી હોય છે જેને રેઝોનન્ટ ફ્રીક્વન્સી કહેવાય છે જે તેમના સમૂહ, જડતા અને આકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ધરતીકંપ પર આધાર રાખીને જમીનની પ્રવૃત્તિ આ કુદરતી ફ્રીક્વન્સીઝને વિસ્તૃત કરી શકે છે. જેના કારણે ઇમારત તેની રેઝોનન્ટ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થાય છે.

દેશ આવી કટોકટીનો સામનો કરવા માટે તૈયાર

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, ભારતની 59 ટકા જમીન ભૂકંપ માટે સંવેદનશીલ છે. મિશ્રાએ કહ્યું હતું કે, મંત્રાલય સિસ્મિક માઇક્રોઝોનેશન અભ્યાસ દ્વારા દેશના સિસ્મિક હેઝાર્ડ ઝોનેશન મેપને એકીકૃત કરી રહ્યું છે. હાલમાં પાંચ લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા 30 શહેરો સિસ્મિક ઝોન ત્રણ, ચાર અને પાંચમાં છે અને આ પ્રોજેક્ટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. અસરકારક પ્રતિસાદ અને શમન તરફ એક દાખલો બદલાયો છે. આવી કટોકટીનો સામનો કરવા માટે દેશ સારી રીતે તૈયાર છે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ

વિડિઓઝ

Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
Embed widget