શોધખોળ કરો

નરેન્દ્ર મોદી સરકાર પાસે બંધારણની કલમ 370 દૂર કરવાની સત્તા છે?

મુશ્કેલી એ છે કે જમ્મૂ કાશ્મીરની બંધારણ સભાને 1957માં ભંગ કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં અચાનક વધેલ હલચલને કારણે લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શું થવા જઈ રહ્યું છે. સાથે જ લોકોના મનમાં બંધારણના આર્ટિકલ 370ને લઈને પણ સવાલ બન્યો છે. આખરે શું છે આર્ટિકલ 370 અને કેવી રીતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરર્જો આપે છે આજે તેના પર વાત કરીશું. શું છે આર્ટિકલ 35A? 35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપવામાં આવ્યાં છે. અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. અસ્થાયી નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સ્થાયી થઈ શકે છે અને ન તો ત્યાંની કોઈ જ સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી અને શિષ્યવૃતિ પણ મળતી નથી. તેઓ કોઈ જ રીતના સરકારી મદદ મેળવવાને પાત્ર પણ નથી હોતાં. શું છે આર્ટિકલ 370?
ભારતમાં વિલય પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક સંબંધો સાથેની વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામમાં બંધારણની અંદર આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા- સુરક્ષા, વિદેશ મામલાઓ અને કોમ્યુનિકેશન્સ માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. સૌથી મોટી વાત એ છે કે, ભારતના કે કાશ્મીરના બંધારણમાં આર્ટિકલ ૩૫-એનો કોઈ ઉલ્લેખ નથી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે, તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરે. આર્ટિકલ ૩૫એને ૧૪ મે ૧૯૫૪માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર કુમારે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. આ ઉલ્લેખ મળે છે પણ લેખિતમાં ક્યાંય તેનો ઉલ્લેખ દેખાતો નથી. બંધારણસભામાં કે સંસદની કોઈ સમિતિમાં કે કામગીરી દરમિયાન આર્ટિકલ ૩૫ એને બંધારણનો ભાગ બનાવવાની માગ ઊઠી જ નથી. તત્કાલીન સરકારે તેને આર્ટિકલ ૩૭૦નો જ ભાગ ગણાવી હતી. આજદીન સુધી તેનો આ રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિકલ ૩૫એને બંધારણમાં સ્થાન મળ્યું નથી પણ કાશ્મીર સરકાર દ્વારા તેને લાગુ કરવા માટે આર્ટિકલ ૩૭૦નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે જ તેને બંધારણનો જ ભાગ ગણાવવામાં આવે છે. શું 370 હટાવી શકાય છે તેનો જવાબ પણ આર્ટિકલ 370માં આપવામાં આવ્યો છે. તેમાં ક્લોઝ ત્રણ કહે છે કે જો જમ્મૂ કાશ્મીરની બંધારણ સભા આર્ટિકલ 370 ખત્મ કરવા માગે છે તો તેને ખત્મ કરી શકાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે જમ્મૂ કાશ્મીરની બંધારણ સભાને 1957માં ભંગ કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે બંધારણ સભા જે પહેલા જ ભંગ થઈ ગઈ છે તો પછી હવે ત્યાર બાદ 370ના ક્લોઝ ત્રણનું કોઈ મહત્ત્વ છે ખરું. એવામાં શું આર્ટિકલ 370ને ખત્મ કરી શકાય છે કે નહીં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. હાલની ઘટનાથી તો એવું જ લાગે છે કે સરકાર કોઈ મહત્ત્વપૂર્ણ પગલા લઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા: જાણો હવે 1 મહિનામાં અને આખા વર્ષમાં કેટલા બાટલા મળશે?
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા: જાણો હવે 1 મહિનામાં અને આખા વર્ષમાં કેટલા બાટલા મળશે?
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget