શોધખોળ કરો

નરેન્દ્ર મોદી સરકાર પાસે બંધારણની કલમ 370 દૂર કરવાની સત્તા છે?

મુશ્કેલી એ છે કે જમ્મૂ કાશ્મીરની બંધારણ સભાને 1957માં ભંગ કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં અચાનક વધેલ હલચલને કારણે લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે શું થવા જઈ રહ્યું છે. સાથે જ લોકોના મનમાં બંધારણના આર્ટિકલ 370ને લઈને પણ સવાલ બન્યો છે. આખરે શું છે આર્ટિકલ 370 અને કેવી રીતે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરર્જો આપે છે આજે તેના પર વાત કરીશું. શું છે આર્ટિકલ 35A? 35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપવામાં આવ્યાં છે. અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. અસ્થાયી નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સ્થાયી થઈ શકે છે અને ન તો ત્યાંની કોઈ જ સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી અને શિષ્યવૃતિ પણ મળતી નથી. તેઓ કોઈ જ રીતના સરકારી મદદ મેળવવાને પાત્ર પણ નથી હોતાં. શું છે આર્ટિકલ 370?
ભારતમાં વિલય પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક સંબંધો સાથેની વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામમાં બંધારણની અંદર આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા- સુરક્ષા, વિદેશ મામલાઓ અને કોમ્યુનિકેશન્સ માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. સૌથી મોટી વાત એ છે કે, ભારતના કે કાશ્મીરના બંધારણમાં આર્ટિકલ ૩૫-એનો કોઈ ઉલ્લેખ નથી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે, તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરે. આર્ટિકલ ૩૫એને ૧૪ મે ૧૯૫૪માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર કુમારે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. આ ઉલ્લેખ મળે છે પણ લેખિતમાં ક્યાંય તેનો ઉલ્લેખ દેખાતો નથી. બંધારણસભામાં કે સંસદની કોઈ સમિતિમાં કે કામગીરી દરમિયાન આર્ટિકલ ૩૫ એને બંધારણનો ભાગ બનાવવાની માગ ઊઠી જ નથી. તત્કાલીન સરકારે તેને આર્ટિકલ ૩૭૦નો જ ભાગ ગણાવી હતી. આજદીન સુધી તેનો આ રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિકલ ૩૫એને બંધારણમાં સ્થાન મળ્યું નથી પણ કાશ્મીર સરકાર દ્વારા તેને લાગુ કરવા માટે આર્ટિકલ ૩૭૦નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે જ તેને બંધારણનો જ ભાગ ગણાવવામાં આવે છે. શું 370 હટાવી શકાય છે તેનો જવાબ પણ આર્ટિકલ 370માં આપવામાં આવ્યો છે. તેમાં ક્લોઝ ત્રણ કહે છે કે જો જમ્મૂ કાશ્મીરની બંધારણ સભા આર્ટિકલ 370 ખત્મ કરવા માગે છે તો તેને ખત્મ કરી શકાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે જમ્મૂ કાશ્મીરની બંધારણ સભાને 1957માં ભંગ કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે બંધારણ સભા જે પહેલા જ ભંગ થઈ ગઈ છે તો પછી હવે ત્યાર બાદ 370ના ક્લોઝ ત્રણનું કોઈ મહત્ત્વ છે ખરું. એવામાં શું આર્ટિકલ 370ને ખત્મ કરી શકાય છે કે નહીં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. હાલની ઘટનાથી તો એવું જ લાગે છે કે સરકાર કોઈ મહત્ત્વપૂર્ણ પગલા લઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, ભારે વાવાઝોડા સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, ભારે વાવાઝોડા સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી 
અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, AAPના સાત બળવાખોર સાંસદો ભાજપના થયા, રાજ્યસભા સચિવાલયની મંજૂરી
અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, AAPના સાત બળવાખોર સાંસદો ભાજપના થયા, રાજ્યસભા સચિવાલયની મંજૂરી
PM મોદીની રેલી અગાઉ બંગાળના જગદ્દલમાં ભારે હિંસા, દેશી બોમ્બ ફેંકાયા, CISF જવાન ઘાયલ
PM મોદીની રેલી અગાઉ બંગાળના જગદ્દલમાં ભારે હિંસા, દેશી બોમ્બ ફેંકાયા, CISF જવાન ઘાયલ
રાઘવ ચઢ્ઢાની 'ચા' અને સાહનીની ઓફર ફગાવી: જાણો પક્ષ ન છોડનાર AAP ના એકમાત્ર સાંસદ કોણ છે?
રાઘવ ચઢ્ઢાની 'ચા' અને સાહનીની ઓફર ફગાવી: જાણો પક્ષ ન છોડનાર AAP ના એકમાત્ર સાંસદ કોણ છે?

વિડિઓઝ

Gujarat Local Body Election Voting : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન , ક્યાં કેટલું મતદાન?
Local Body Election Voting : મહેસાણામાં તેમના બદલે અન્ય વ્યક્તિ મત આપી ગયાનો મહિલાનો આરોપ
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Hun To Bolish : હું તો બોલીશ : પત્રકારોનો પોલ
Local Body Election Voting | કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો મઝારમાં દુઆ કરતો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel forecast: આભમાંથી વરસશે અગનગોળા! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel forecast: આભમાંથી વરસશે અગનગોળા! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, AAPના સાત બળવાખોર સાંસદો ભાજપના થયા, રાજ્યસભા સચિવાલયની મંજૂરી
અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, AAPના સાત બળવાખોર સાંસદો ભાજપના થયા, રાજ્યસભા સચિવાલયની મંજૂરી
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, ભારે વાવાઝોડા સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, ભારે વાવાઝોડા સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત 
Summer Heatwave Tips: કાળઝાળ ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું? ડોક્ટર પાસેથી જાણો છ સરળ ઉપાય
Summer Heatwave Tips: કાળઝાળ ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું? ડોક્ટર પાસેથી જાણો છ સરળ ઉપાય
મતગણતરી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું
મતગણતરી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું
Heatwave : અમદાવાદમાં ગરમીએ તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે શહેરમાં જાહેર કર્યું યલો એલર્ટ
Heatwave : અમદાવાદમાં ગરમીએ તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે શહેરમાં જાહેર કર્યું યલો એલર્ટ
Rajkot News:  રાજકોટના જસદણમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકના મૃત્યુ, કુંવરજી બાવળિયાએ વ્યક્ત કર્યું દુઃખ
Rajkot News:  રાજકોટના જસદણમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકના મૃત્યુ, કુંવરજી બાવળિયાએ વ્યક્ત કર્યું દુઃખ
Embed widget