શોધખોળ કરો

મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી સ્કૂલો, 1 ઓક્ટોબરથી કોલેજો શરૂ કરી દેશે ? શિક્ષણ મંત્રી પોખરીયાલે કરી આ જાહેરાત ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખશે એવો દાવો વોટ્સએપ પર ફરી રહેલા એક મેસેજમાં કરાઈ રહ્યો છે.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખશે એવો દાવો વોટ્સએપ પર ફરી રહેલા એક મેસેજમાં કરાઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે, 1 ઓક્ટોબરથી તમામ કોલેજોમાં પણ ક્લાસ શરૂ થઈ જશે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. જો કે મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષણ મંત્રી પોખરીયાલે એવું કોઈ નિવેદન કર્યું નથી. મોદી સરકારે અનલોક 4ની જે ગાઈડલાઈન બહાર પાડી છે તે પ્રમાણે ધોરણ 9થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે સ્કૂલે જઈ શકે છે પણ 21 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે તમામ સ્કૂલ-કોલેજો ખોલી નાંખવાની વાત સાવ ખોટી છે. આ વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે, કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલે જાહેરાત કરી છે કે, 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 માટે તમામ સ્કૂલો ખોલી નાંખવામાં આવશે. તેના પંદર દિવસ પછી ધોરણ 6થી ધોરણ 8 સુધીના ક્લાસ શરૂ કરાશે. એ પછી પંદર દિવસ પછી ધોરણ 1થી ધોરણ 5 સુધીના વર્ગો શરૂ કરાશે. આ દાવાને મોદી સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ ખોટો ગણાવ્યો છે. આ પહેલાં પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની તૈયારીમાં હોવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા હતા
મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું હતું. આ વખતે પણ સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાની વાતોને નકારી કાઢી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
Embed widget