શોધખોળ કરો

ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા

જેમાં મહિલાએ તેના પતિને ડિવોર્સ આપ્યા વિના બીજી વખત લગ્ન કર્યા હતા અને હવે નવા કપલને આઈપીસીની કલમ 494 હેઠળ બીજા લગ્ન માટે સજા ભોગવવી પડ

આ ઘટના તમિલનાડુના એક કપલની છે, જેમાં મહિલાએ તેના પતિને ડિવોર્સ આપ્યા વિના બીજી વખત લગ્ન કર્યા હતા અને હવે નવા કપલને આઈપીસીની કલમ 494 હેઠળ બીજા લગ્ન માટે સજા ભોગવવી પડશે. આ કેસમાં ભરણપોષણ મેળવતી પત્નીને જેલની સજા ભોગવવી પડી છે. બીજા લગ્ન કરવાના કારણે મહિલાનું ભરણપોષણ પણ ગયું અને તેને જેલની સજા પણ થઇ હતી.

સુપ્રીમ કોર્ટે બીજા લગ્નને ગંભીર અપરાધ તરીકે ધ્યાનમાં લેતા નવા દંપત્તિને છ મહિનાની સાદી કેદ અને દરેકને 2,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા અપાયેલી કેદની સજાને ખૂબ ઓછી માની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે IPCની કલમ 494 (બીજા લગ્ન)નો ગુનો ગંભીર ગુનો છે. તેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં આરોપીને કોર્ટની સુનાવણી સુધી જેલની સજા આપવી એ ખૂબ જ હળવી સજા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુનાની સરખામણીમાં અને સમાજ પર ગુનાની અસરને ધ્યાનમાં રાખીને સજા આપવી જોઈએ.

પતિ-પત્નીને એક પછી એક જેલવાસ ભોગવવાનો આદેશ

જોકે, નવા કલપ્સના બાળકની ઉંમર માત્ર છ વર્ષ હોવાનું ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીને એક પછી એક જેલવાસ ભોગવવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ, પહેલા પતિ આત્મસમર્પણ કરશે અને તેની સજા પૂર્ણ થયા પછી પત્નીને સજાનો સામનો કરવો પડશે. જસ્ટિસ સીટી રવિકુમાર અને સંજય કુમારની બેન્ચે મહિલાના પહેલા પતિની અરજી પર આ આદેશ આપ્યો છે.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

આ કેસમાં પહેલા પતિ બાબા નટરાજન પ્રસાદે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે નવા દંપતિને બીજા લગ્ન માટે દોષિત ઠેરવ્યા હતા, પરંતુ નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી એક વર્ષની જેલની સજાને ઘટાડીને કોર્ટમાં સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધીની કરી હતી. જોકે, હાઈકોર્ટે દંડની રકમ 2000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરી હતી.

પ્રથમ લગ્નમાં હોવા છતાં મહિલાએ કર્યા સ્ત્રી બીજા લગ્ન

સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે પુરાવાઓ જોતા સ્પષ્ટ થાય છે કે મહિલા પોતાના પહેલા લગ્નમાં હોવા છતાં બીજા લગ્ન કર્યા અને એક બાળકને જન્મ પણ આપ્યો. સંજોગોને જોતા એમ કહી શકાય કે હાઈકોર્ટે બિનજરૂરી ઉદારતા દાખવી છે. જો કે, બેન્ચે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટના નિર્ણય સમયે બાળકની ઉંમર બે વર્ષથી ઓછી હતી. આઈપીસીની કલમ 494માં લઘુત્તમ સજાની કોઈ જોગવાઈ નથી અને મહત્તમ સજા સાત વર્ષની જેલની છે. નીચલી અદાલતે દરેકને એક વર્ષની સજા ફટકારી હતી.

મહિલાનું બાળક માત્ર છ વર્ષનું છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે બાળક છ વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં તે બંનેને છ મહિનાની કેદ અને બે-બે હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી રહી છે. કેસ મુજબ, પ્રથમ પતિની છૂટાછેડાની અરજી કોઈમ્બતુરની ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ હતી અને કોર્ટના આદેશ પર મહિલાને દર મહિને 5,000 રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું પણ મળી રહ્યું હતું. પરંતુ છૂટાછેડા પહેલાં મહિલાએ ફરીથી લગ્ન કર્યા. પ્રથમ પતિએ લગ્ન સમાપ્ત કર્યા વિના ફરીથી લગ્ન કરવાની સામે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સાસુ, સસરા અને બીજા પતિને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

પત્નીએ 13 જુલાઈ 2017 સુધી ભરણપોષણ ભથ્થું લીધું હતું

પુરાવામાં જાણવા મળ્યું છે કે પત્નીએ 13 જુલાઈ 2017 સુધી ભરણપોષણ ભથ્થું લીધું હતું. નવેમ્બર 2017માં તેના નવા લગ્નથી તેને એક બાળક થયો હતો. આ પછી 22 જાન્યુઆરી 2019ના રોજ પત્નીએ પહેલા પતિથી છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. ટ્રાયલ કોર્ટે નવા દંપતીને દોષિત માનીને સજા ફટકારી હતી અને સાસરિયાઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. બંને પક્ષોએ તેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ કોર્ટે દંપત્તિની અપીલ સ્વીકારી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ આદેશ સામે પહેલા પતિએ મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે નવા દંપત્તિને બીજા લગ્ન માટે દોષિત ઠેરવ્યા હતા અને બંનેને કોર્ટની સુનાવણી પૂર્ણ ના થાય ત્યાં સુધીની કેદની સજા ફટકારી હતી. હાઈકોર્ટના આ આદેશ સામે પ્રથમ પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget