શોધખોળ કરો

J&K: 12 કલાકમાં Target Killingની વધુ એક મોટી ઘટના, મોડી રાત્રે કાશ્મીરી પંડિતો કેમ્પમાં આશ્રય લેવા પહોંચ્યાં, જાણો કેવી છે ભયંકર સ્થિતિ

Target Killing: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ફરી એકવાર હિજરત જોવા મળી રહી છે. મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ જમ્મુ પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતો અને કર્મચારીઓએ સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી.

Target Killing In J&K: જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં આતંકીઓએ બે લોકોની હત્યા કરી નાખી. બદમામમાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરીઓને ગોળી મારી હતી, જેમાં બિહારના રહેવાસી દિલખુશ કુમારનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. બીજી તરફ ગુલગામમાં આતંકવાદીઓએ એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી નાખી.

 જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ફરી એકવાર હિજરત જોવા મળી રહી છે. મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ જમ્મુ પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતો અને કર્મચારીઓએ સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી. બીજી તરફ કાશ્મીરમાં આસ્થા પર ગોળીબારની અસર દેખાવા લાગી છે. ખીણમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ બાદ કાશ્મીરી પંડિતોની માંગને ધ્યાનમાં રાખીને ખીર ભવાની યાત્રાને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટાર્ગેટ કિલિંગ પછી ખીણમાં સ્થળાંતર

8 જૂનથી ખીર ભવાની યાત્રાની તૈયારીઓ શરૂ થવાની હતી. તેની તૈયારી પણ થઇ રહી છે પરંતુ મંદિર પરિસરમાં કર્મચારીઓની હત્યાનો વિરોધ સતત ચાલુ રહ્યો. છેલ્લા બે વર્ષને છોડીને  1994માં આ યાત્રા શરૂ થઈ હતી જે  અવિરત ચાલી રહી છે. પરંતુ કાશ્મીરી પંડિતોનું માનવું છે કે હવે સ્થિતિ વણસી ગઈ છે. હાલમાં ખીર ભવાની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ અમરનાથ યાત્રા પણ 30 જૂનથી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભક્તોની સુરક્ષા પ્રશાસનની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. તેથી અમરનાથ યાત્રા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

12 કલાકમાં ટાર્ગેટ કિલિંગની બે મોટી ઘટનાઓ

ગુરુવારે મોડી સાંજે આતંકવાદીઓએ બડગામમાં બે બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા હતા. જેમાંથી એક કામદારનું મોત થયું હતું. માર્યા ગયેલા મજૂર બિહારનો રહેવાસી છે જ્યારે હુમલામાં ઘાયલ બીજો મજૂર પંજાબના ગુરદાસપુરનો રહેવાસી છે. બંને પરપ્રાંતિય મજૂરો બડગામ જિલ્લાના ચદૂરા ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તે કામ કરી રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેના પર હુમલો કર્યો હતો.

 

ઘટના બાદ તરત જ બંને મજૂરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બિહારના દિલખુશ કુમારને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય મજૂરની સારવાર ચાલી રહી છે. ગઈકાલે સવારે કુલગામમાં બેંક મેનેજર વિજય કુમારની હત્યા કરવામાં આવી હતી. વિજય કુમાર રાજસ્થાનનો રહેવાસી હતો પરંતુ છેલ્લા 3 વર્ષથી કાશ્મીરમાં નોકરી કરતો હતો. કુલગામમાં માત્ર 48 કલાકમાં નિર્દોષની હત્યાની આ બીજી ઘટના છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget