શોધખોળ કરો

કડી વિધાનસભા પેટાચૂંટણી માટે AAPએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?

ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે

કડી વિધાનસભા પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)એ ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીમાં આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી હતી. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નામ જાહેર કર્યું હતું. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કડી, વિસાવદરમાં મજબૂતીથી લડીશું.

AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. જનતા આપ સાથે, બીજા પક્ષોને જાકારો આપશે. નોંધનીય છે કે ગુજરાતમાં આગામી મહિને બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.

ફોર્મ ભરવાની પ્રક્રિયા 26 મેથી શરૂ થઈ હતી, અને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 2 જૂન હતો. આ પેટાચૂંટણીના પરિણામો 23 જૂને જાહેર થશે. નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવદરની વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જ્યારે કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી.                

આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટાચૂંટણી થોડા સમય માટે અટવાઈ હતી. વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત હતો, જેમાં AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસ અને AAP એ ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી હતી.  

કડી વિધાનસભા બેઠક માટે નિમણૂકો:

કડી વિધાનસભા બેઠક માટે ભાજપે નીચે મુજબના પદાધિકારીઓની નિમણૂક કરી છે:

  • પ્રભારી: સુરેશભાઈ પટેલ (પૂર્વ પારસવલ્લી મણિનગર વિધાનસભા) અને દશરથજી ઠાકોર (પૂર્વ જિલ્લા પ્રમુખ , પાટણ જિલ્લા).
  • સંયોજક: વિનોદભાઈ રણછોડભાઈ પટેલ (ચેરમેન, મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક).
  • સહ સંયોજક: હિમાંશુભાઈ બંસીભાઈ ખમાર (વાઈસ ચેરમેન, એપીએમસી કડી).

વિસાવદર વિધાનસભા બેઠક માટે નિમણૂકો:

વિસાવદર વિધાનસભા બેઠક માટે ભાજપે નીચે મુજબના પદાધિકારીઓની નિમણૂક કરી છે:

  • પ્રભારી: કમલેશભાઈ મીરાણી (પૂર્વ શહેર પ્રમુખ , રાજકોટ શહેર) અને જયેશભાઈ રાદડીયા (જેતપુર વિધાનસભા ધારાસભ્ય).
  • સંયોજક: ભરતભાઈ વડાલીયા (પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ , જૂનાગઢ જિલ્લો).
  • સહ સંયોજક: નરેન્દ્રભાઈ કોટીલા (પૂર્વ જિલ્લા મંત્રી, જૂનાગઢ જિલ્લો).
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો
લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો
ઋષિ ભારતીના નિવેદનથી રાજકારણ ગરમાયું! જગદીશ ઠાકોર થયા લાલઘૂમ, જાણો શું આપી પ્રતિક્રિયા
ઋષિ ભારતીના નિવેદનથી રાજકારણ ગરમાયું! જગદીશ ઠાકોર થયા લાલઘૂમ, જાણો શું આપી પ્રતિક્રિયા
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Embed widget