Banaskantha : કપલના ફોટા વાયરલ કરનાર યુવકનું 4 શખ્સોએ અમદાવાદથી કર્યું અપહરણ ને ફેંકી દીધો કેનાલમાં
યશ પ્રજાપતિ નામના યુવકે એક કપલના ફોટા વાયરલ કરી ખોટો કેસ કરાવ્યો હતો. આથી જે યુવકનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયો હતો, તેને યશ સામે ખાર હતો. આ વાતનું મનદુઃખ રાખી 4 શખ્સોએ યશનું અમદાવાદથી અપહરણ કર્યું હતું. તેમજ તેને બે દિવસ સુધી દિયોદરના લુદ્રામાં આવેલી એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો.
થરાદઃ અમદાવાદથી યુવકનું અપહરણ કરી બનાસકાંઠામાં બે દિવસ સુધી યુવકને ગોંધી રાખી નર્મદા કેનાલમાં ફેંકીને હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી હત્યા કરી નાંખી હતી. થરાદ પોલીસે હત્યા કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યશ પ્રજાપતિ નામના યુવકે એક કપલના ફોટા વાયરલ કરી ખોટો કેસ કરાવ્યો હતો. આથી જે યુવકનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયો હતો, તેને યશ સામે ખાર હતો.
આ વાતનું મનદુઃખ રાખી 4 શખ્સોએ યશનું અમદાવાદથી અપહરણ કર્યું હતું. તેમજ તેને બે દિવસ સુધી દિયોદરના લુદ્રામાં આવેલી એક ઓરડીમાં ગોંધી રાખ્યો હતો. અહીં તેની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. થરાદ પોલીસે હત્યા કરનાર 4 શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Patan : યુવતીએ બે વર્ષની દીકરી-માતા સાથે લગાવી મોતની છલાંગ, ઘટનાસ્થળે ઉમટ્યા ટોળે ટોળા, પતિએ શું કહ્યું?
પાટણઃ ચાણસ્મા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગઈ કાલે ભુલાપુરાની યુવતીએ પોતાની બે વર્ષની દીકરી અને માતા સાથે કેનાલમાં ઝંપલાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીના પતિ અને પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. જોકે, યુવતીએ અન્ય લોકો સાથે કેમ આપઘાત કરી લીધો તે હજુ જાણી શકાયું નથી. પતિ વાત કરતા કરતા ભાવૂક થઈ ગયા હતા.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે બપોરે યુવતીએ પોતાની દીકરી અને માતા સાથે ધસમસતી નર્મદા કેનલામાાં ઝંપલાવી દીધું હતું. જોકે, આસપાસના લોકો જોઇ જતાા ત્યાં દોડી આવ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી, જોકે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમની કોઈ ભાળ મળી નહોતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ તરવૈયા બોલાવી ત્રણેયની શોધખોળ ચાલું છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
ઘટનાસ્થળે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાથી જાણ થતાં જ અમે આવી પહોંચ્યા છીએ. ભુલપુરાની એક યુવતી તેની બે વર્ષની દીકરી અને માતાને પોતાની સાથે બાંધીને કેનાલમાં કૂદી હોવાની વિગતો મળી છે. જોકે, હજુ સુધી કોઈ વ્યક્તિની લાશ મળી આવી નથી, શોધખોળ ચાલુ છે.
કેનાલ પર પહોંચેલા પતિએ જણાવ્યું હતું કે, દોઢ વાગ્યા આસપાસ મારા ફોન ઉપર ફોન આવેલ કે તમારા ઘરના કેનાલમાં પડ્યા છે. તરત જ હું અને મારો પરિવાર ઘટનાસ્થળે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોઈ દિવસ અમારા ઘરમાં મારી પુત્રી કે મારી પત્નીને કોઇ પ્રકારની તકલીફ હતી નહીં. કયા કારણોસર આવું પગલું ભર્યું છે તે હજુ મને પણ સમજાતું નથી. તેઓ વાત કરતા કરતા ભાવુક થઈ ગયા હતા. નર્મદા કેનાલ નજીકથી એકટીવા પણ મળી આવી છે અને ભોગ બનનારના પતિ આ એકટીવા પોતાનું હોવાનું જણાવ્યું હતું.