શોધખોળ કરો

મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા, 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં

મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા છે. જિલ્લામાં 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં છે.

મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા છે. જિલ્લામાં 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં છે. 6,780 પૈકી 138 શિક્ષકના સીસીસી સર્ટિફિકેટ શંકાના દાયરામાં છે. 2023માં શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનથી ભાંડો ફૂટ્યો હતો. 138 શિક્ષકના સર્ટિફિકેટનું ઓનલાઇન વેરિફિકેશન ન થયાનો ખુલાસો થયો હતો. યુનિવર્સિટીએ સર્ટિફિકેટની ખરાઈ ન કર્યાનું પણ સામે આવ્યું છે. 138 શિક્ષકો સામે કાર્યવાહીની શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું હતું.

શિક્ષણ વિભાગની વેરિફેકેશન પ્રક્રિયામાં 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામા આવ્યા હતા. 2023માં શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનથી આ ભાંડો ફૂટ્યો હતો. શિક્ષણ વિભાગે કુલ 6 હજાર 708 શિક્ષકોના CCC સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધર્યું હતું જેમાં 138 શિક્ષકોનું CCC સર્ટિફિકેટ ઓનલાઈન વેરિફાય થયું ન હતું. જેથી 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ જે તે યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જો કે જે તે યુનિવર્સિટીમાંથી આ શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટના વેરિફિકેશનને લઇને જવાબ ના આવતા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું હતું. 138 શિક્ષકો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે. સાથે જ તપાસ માટે કમિટીની પણ રચના કરવામા આવી હોવાની માહિતી છે.

મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાચાડીયા ગામમાં મનરેગા યોજનાના કામોમાં કૌભાંડ થયાનો ગામની જ દૂધ મંડળીના મંત્રીએ આરોપ લગાવ્યો હતો. તેમણે લોકપાલને લેખિતમાં ફરિયાદ કરી હતી. મનરેગાના કામોમાં માટી કામ સહિત અન્ય કામોમાં ગેરરીતિ આચરાઈ છે. આ ફરિયાદને લઈ લોકપાલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

બીજી તરફ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળાને તાળા મરાયા છે. વિદ્યાર્થી વગરની અલગટ ગામના જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે.જોકે ગામમાં ત્રણ શાળા હોય જે પૈકી જવાહર ફળિયાની શાળામાં એકપણ વિદ્યાર્થી નહીં આવતા શાળાને તાળા મારી તંત્ર દ્વારા બંધ કરાઈ છે. જ્યારે ગામમાં આવેલ અન્ય બે શાળામાં 130થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગતરોજ સુધી શાળામાં બે શિક્ષકો હોય પણ વિધાર્થીઓ નહીં હોવાના કારણે ઉપરથી મળેલ આદેશ અનુસાર શાળા બંધ કરવામાં આવી હોવાનું મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે. બીજી તરફ અલગટ ગામના ગ્રામજનોએ શાળા બંધ નહીં કરવા અને શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધારવા માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget