શોધખોળ કરો

Mehsana : યુવતીએ બહુચરાજીની કેનાલમાં કૂદીને કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો

જ્યોત્સનાબેન ચૌધરીએ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરેલ નાણાં પરત ન આવતા આપઘાત કરી લીધો છે. શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી-સમર્પણ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યાં બાદ નાણાં પરત નહિ મળતા કેનાલમા ઝંપલાવ્યું હતું.

મહેસાણાઃ બહુચરાજીના આશોલ કેનાલમાં કૂદીને આપઘાત કરનાર ઉંઝાના વણાગલા ગામની યુવતીના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીના પિતાને મોબાઇલમાં યુવતીના આપઘાત પહેલાનો એક વીડિયો મળી આવ્યો હતો. જેને કારણે આપઘાત પાછળનું કારણ સામે આવ્યું છે. આ સિવાય યુવતીએ પોતાના હસ્તાક્ષરમાં લખેલું એક પેજ પણ મળી આવ્યું છે. 

જ્યોત્સનાબેન ચૌધરીના માણસા તાલુકાના ગુનમા ગામે લગ્ન થયા હતા. મૃતક જ્યોત્સાબેને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરેલ નાણાં પરત ન આવતા આપઘાત કરી લીધો છે. શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી અને સમર્પણ ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યાં બાદ નાણાં પરત નહિ મળતા કેનાલમા ઝંપલાવ્યું હતું. જ્યોત્સનાબેન તા.17-4-2020 થી તા.1-12-2020 સુધી રૂપિયા 66,19,000નુ રોકાણ કર્યુ હોવાના તેમજ કંપનીની બેઠકના ફોટા પણ મળી આવ્યા છે. 

આ પણ વાંચોઃ 24 કલાકમાં કોરોનાના નવા 38,353 કેસ આવ્યા, 140 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા

બહુચરાજી પોલીસે ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિત ત્રણ લોકો સામે ફરીયાદ નોંધી છે. મૃતક યુવતીએ લાખો રૂપિયાનું રોકાણ કર્યુ હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યોત્સનાબેન ચૌધરી મહેસાણાના ધરતી બંગલોઝમાં રહીને 5 વર્ષ પહેલાં શુભલક્ષ્મી કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતા હતા.શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી બંધ થતાં સમર્પણ કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી.

ક્રેડીટ સોસાયટીમાં કરેલું રોકાણ સારા નફા માટે જ્યોત્સનાબેનની જાણ બહાર પ્રાઈવેટ કંપનીમાં કરાતું હતું. ક્રેડીટ સોસાયટીના રોકાણકારોના નાણાં સારા નફા માટે ઊંચા વ્યાજે એફએક્સ બુલ કંપનીમાં રોકાણ કર્યા હતા. જોકે, ક્રેડીટ સોસાયટીના રોકેલા પૈસા પરત નહી મળતાં જ્યોત્સનાબેને કીર્તિ ચૌધરી અને પ્રદિપ ચૌધરી પાસે અનેક વખત માગણી કરવા છતાં નહી આપતાં જ્યોત્સનાબેને ગત. 9-7-2021ના રોજ આસજોલ પાસેની નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના આ મોટા શહેરમાં આજે માત્ર રસીનો બીજો ડોઝ આપવામાં આવશે, નાગરિકોને પ્રથમ ડોઝ નહીં મળે

આ અંગે જ્યોત્સનાબેનના પિતા હીરાભાઈ ચૌધરીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી, ગોકળગઢના પ્રદિપભાઈ સાલુભાઈ ચૌધરી અને મહેસાણાના દિક્ષિત કાન્તિલાલ સુથાર સામે આપઘાત કરવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જ્યોત્સનાબેનના આપઘાત પહેલા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. તેણીના પિતાને આ વિડીયો મળી આવતાં બહુચરાજી પોલીસને આપ્યો હતો. તેથી પોલીસે પુરાવા તરીકે વિડીયો કબજે લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget