શોધખોળ કરો

Comment On Ram: રામને માંસાહારી ગણાવ્યા બાદ વિરોધના જવાબમાં NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે શું કહ્યું સાંભળો

ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NCP Leader Jitendra Awhad On Ram: NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને કરેલા નિવેદન બદલ માફી માંગી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન બદલ માફી માંગી છે. તેણે કહ્યું છે કે ભાષણ આપતી વખતે તેણે ભૂલ કરી હતી.

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ભગવાન રામની જીવનશૈલી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.

"ક્યારેક ભૂલ થઇ જતી હોય છે"

નિવેદન અંગે તેઓ સતત પોતાના સ્ટેન્ડ પર અડગ હતા, પરંતુ હવે તેમણે યુ-ટર્ન લીધો છે. ગુરુવારે (4 જાન્યુઆરી) તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે,  "હું ભાષણ દરમિયાન બોલતો જ ગયો એમાં ક્યારેક મારાથી ભૂલ પણ  થઈ જાય છે... હું મારા નિવેદન માટે માફી માંગુ છું."

અજિત પવાર જૂથના નેતાઓમાં પણ નારાજગી

ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નિવેદન પર અડગ હતા

એનસીપીના નેતાએ અગાઉ તેમના નિવેદન અંગે કડક વલણ અપનાવ્યું હતું કે તે પોતાના નિવેદન પર અડગ છે જો કે વિરોધનો વંટોળ શરૂ થતાં તેમણે માફી માંગી હતી.

"ભગવાન શ્રી રામચંદ્ર તમને સદ્બુદ્ધિ આપે"

મહારાષ્ટ્ર ભાજપે પણ NCP નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે બુધવારે (3 જાન્યુઆરી) ટ્વિટર પર લખ્યું, 'જિતેન્દ્ર આવ્હાડ,  આપનો સાર્વજનિક  વિરોધ! તમે આજે ભગવાન રામચંદ્રને યાદ કર્યા. તમારા વર્તન અને વિચારોમાં રામ કરતાં રાવણ વધુ સ્પષ્ટ દેખાય છે. હિંદુ દેવતાઓનું અપમાન કરવાથી ન જાણે આપને શું ખુશી મળે છે એ તો તમે જ જાણો, જો કે આપને ખબર નથી કે,  ખોટો અને આપની સુવિધાજનક  ઈતિહાસ લખવાની તમારી જૂની યુક્તિ રામભક્તો સહન નહીં કરે. ભગવાન શ્રી રામચંદ્ર આપને સદ બુદ્ધિ આપે!”

ભગવાન રામ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું કે આવા નિવેદનો રાજકારણ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget