શોધખોળ કરો

One Nation One Election: વન નેશન વન ઇલેકશનથી દેશને શું થશે ફાયદો અને નુકસાન

One Nation One Election: કેન્દ્ર સરકારે 'વન નેશન વન ઇલેકશન' પર એક સમિતિની રચના એવા સમયે કરી છે જ્યારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે

One Nation One Election:દેશમાં વન નેશન, વન ઈલેક્શનની ચર્ચાએ જોર પકડ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે (1 સપ્ટેમ્બર) એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે એક સમિતિની રચના કરી છે, જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કામ કરશે. કમિટી દેશમાં એક સાથે ચૂંટણીની શક્યતાઓ તપાસશે.

આ સમિતિની રચના એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રએ 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ કેન્દ્ર સરકાર આ સમયગાળા દરમિયાન વન નેશન વન ઈલેક્શન સહિત અનેક મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આજે આપણે વન નેશન વન ઇલેક્શનના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું,

વન નેશન વન ઇલેકશનના ફાયદા

દેશમાં એકસાથે ચૂંટણી યોજવાના સમર્થનમાં સૌથી મજબૂત દલીલ અલગ ચૂંટણીઓ પર ખર્ચવામાં આવતી જંગી રકમ ઘટાડવાની છે. ઈન્ડિયા ટુડેએ તેના અહેવાલોમાં જણાવ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી લડતા રાજકીય પક્ષોના ખર્ચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે.

એકસાથે ચૂંટણીના સમર્થનમાં આપવામાં આવેલી એક દલીલ એ છે કે તેનાથી વહીવટી તંત્ર સુગમ બની જશે. ચૂંટણી દરમિયાન અધિકારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય છે, જેના કારણે સામાન્ય વહીવટી કામગીરી પ્રભાવિત થાય છે.

એક સાથે ચૂંટણી થવાની આશંકા

પ્રાદેશિક પક્ષોને મોટો ડર એ છે કે તેઓ તેમના સ્થાનિક મુદ્દાઓને મજબૂત રીતે ઉઠાવી શકશે નહીં કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ કેન્દ્રમાં આવશે. આ સિવાય તેઓ ચૂંટણી ખર્ચ અને ચૂંટણી રણનીતિના મામલે રાષ્ટ્રીય પક્ષો સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

સર્વે શું કહે છે?

ઈન્ડિયા ટુડેએ 2015માં IDFC સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણને ટાંકીને જણાવ્યું હતું કે જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે તો 77 ટકા સંભાવના છે કે મતદારો રાજ્યની વિધાનસભા અને લોકસભામાં એક જ રાજકીય પક્ષ અથવા ગઠબંધનને પસંદ કરશે. તે જ સમયે, જો છ મહિનાના અંતરાલમાં ચૂંટણી યોજવામાં આવે છે, તો માત્ર 61 ટકા મતદારો એક પક્ષ પસંદ કરશે.

આ પણ વાંચો 

રાજ્યમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, 33 કરોડનો કરશે ખર્ચ

કેન્દ્ર સરકારે 'One nation, One election માટે કમિટી બનાવી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવ્યા અધ્યક્ષ

Aditya-L1 Launch: ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય એલ1ના લોન્ચિંગ પહેલા તિરુપતિ મંદિર પહોંચી

Startup Layoffs: ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી બે વર્ષમાં 1 લાખ લોકોએ નોકરી ગુમાવી! 1,400 થી વધુ કંપનીઓએ છૂટા કર્યા

            

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget