શોધખોળ કરો

બાબા રામદેવની કોરોના સામેની દવા છે સાવ સસ્તી, કિંમત જાણીને પડી જશો આશ્ચર્યમાં

પતંજલિની કોરોના માટેની દિવ્ય કોરોના કિટની કિંમત માત્ર રૂપિયા 545 રૂપિયા છે.

નવી દિલ્લીઃ પંતજલિ દ્વારા આજે કોરોના માટેની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોંચ કરવામાં આવી છે. દિવ્ય કોરોનિલ ટેબ્લેટની સાથે શ્વસારી અને અણુ તેલ મળી કોરોના કીટ લોંચ કરવામાં આવી છે. બાબા રામદેવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ત્રણેયના એક સાથે ઉપયોગથી કોરોના સંક્રમણ દૂર કરી શકાય છે. આ દવાની કિટની કિંમત માત્ર રૂપિયા 545 રૂપિયા છે. એટલું જ નહીં, બાબા રામદેવે કહ્યું છે કે, જેમની પાસે આટલા રૂપિયાની પણ સગવડ નથી, તેમને પતંજલિ મફતમાં દવા આપશે. એટલું જ નહીં, લોકોને ઘરે બેઠા દવા મળી રહે તે માટે ઓર્ડર મી એપ લોંચ કરવામાં આવશે. બાબા રામદેવે દાવો કર્યો છે કે, શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે. આમ, ત્રણેયના એક સાથે ઉપયોગથી કોરોના મટાડી શકાય છે. આ દવા 30 દિવસ સુધી લેવાની હોય છે. બાબા રામદેવે જણાવ્યું હતું કે, પૂરો દેશ અને દુનિયા જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે, ક્યાંકથી તો કોરોનાથી દવા આવશે, તે સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલી રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, અમે બે ટ્રાયલ કર્યા એક કંટ્રોલ્ડ ક્લીનીકલ સ્ટડી. જે દિલ્લી, અમદાવાદ, મેરઠ સહિત અનેક શહેરોમાં કરવામાં આવી. આ સ્ટડીમાં 280 દર્દીઓ હતા. જેના પરિણામ અપ્રતિમ હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ. જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે. બીજો તબક્કો હતો ક્લીનીકલ કંટ્રોલ ટ્રાયલ. જેના માટે પતંજલિ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(નીમ્સ)ના સંયુક્ત પ્રયાસથી આ સંભવ થયું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget