Watch: ‘કાશ હું પણ બાળપણમાં…’ મહારાષ્ટ્રના સોલાપુરમાં PM મોદી થયા ભાવુક, ભાષણ વચ્ચે જ રોકી દીધું, જુઓ વીડિયો
પીએમ મોદી એટલા ભાવુક થઈ ગયા કે, તેમણે પોતાનું ભાષણ થોડીવાર રોકી દીધું અને પાણી પીવા લાગ્યા. મહારાષ્ટ્રમાં PMAY-અર્બન સ્કીમ હેઠળ તૈયાર થયેલા ઘરો વિશે વાત કરતી વખતે PM મોદી ભાવુક થઈ ગયા હતા

મહારાષ્ટ્રમાં PMAY-અર્બન સ્કીમ હેઠળ તૈયાર થયેલા ઘરો વિશે વાત કરતી વખતે PM મોદી ભાવુક થઈ ગયા હતા, જે હેન્ડલૂમ કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, રાગ પીકર્સ, બીડી કામદારો, ડ્રાઈવરો જેવા લાભાર્થીઓને સોંપવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી. પીએમ મોદીએ સોલાપુરમાં વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું, 'અટલ આવાસ યોજના હેઠળ બનેલા મકાનો જોયા પછી મને લાગ્યું કે કાશ હું પણ બાળપણમાં આવા ઘરમાં રહી શક્યો હોત.
પીએમ મોદી એટલા ભાવુક થઈ ગયા કે, તેમણે પોતાનું ભાષણ થોડીવાર રોકી દીધું અને પાણી પીવા લાગ્યા. મહારાષ્ટ્રમાં PMAY-અર્બન સ્કીમ હેઠળ તૈયાર થયેલા ઘરો વિશે વાત કરતી વખતે PM મોદી ભાવુક થઈ ગયા હતા, જે હેન્ડલૂમ કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, રાગ પીકર્સ, બીડી કામદારો, ડ્રાઈવરો જેવા લાભાર્થીઓને સોંપવાના છે.
#WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others.
PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5 — ANI (@ANI) January 19, 2024
મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ મોદીએ કહ્યું, 'ઘણા લાંબા સમયથી આપણા દેશમાં ગરીબી હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા પરંતુ ગરીબી દૂર થઈ નથી. ગરીબોના નામે યોજનાઓ બનાવવામાં આવી, પરંતુ ગરીબોને તેનો લાભ મળ્યો નથી. વચેટિયાઓ તેમના હકના પૈસા લૂંટી લેતા હતા. અગાઉની સરકારોની નીતિઓ, ઈરાદાઓ અને અખંડિતતા દાવમાં હતી.’ પીએમ મોદીએ કહ્યું, ‘2014માં સરકાર બની કે તરત જ મેં કહ્યું હતું કે, મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે. તેથી, અમે એક પછી એક એવી યોજનાઓ અમલમાં મૂકી, જેનાથી ગરીબોની મુશ્કેલીઓ ઓછી થાય અને તેમનું જીવન સરળ બને.
આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, 'ભગવાન શ્રી રામ અમારા માટે સમર્પિત અને પ્રતિબદ્ધ રહેવાની સૌથી મોટી પ્રેરણા છે. મને ખુશી છે કે અમે સોલાપુરના હજારો ગરીબ લોકો માટે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે. આજે પીએમ આવાસ યોજના હેઠળ બનેલી દેશની સૌથી મોટી સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ખરેખર આપણા બધા માટે એક ખાસ ક્ષણ છે. અમારી સરકાર પ્રથમ દિવસથી જ પ્રયાસ કરી રહી છે કે, દેશમાં શ્રી રામના આદર્શોને અનુસરીને સુશાસન ચાલે અને દેશમાં ઈમાનદારીનું શાસન ચાલે. તે રામરાજ્ય છે જેણે દરેકના સમર્થન, દરેકના વિકાસ, દરેકની આસ્થા અને દરેકના પ્રયાસને પ્રેરણા આપી છે.























