![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Congress Candidates List: કોંગ્રેસની સંભવિત યાદીમાં અનેક મોટા નામ સામેલ, રાહુલ આ સ્થાનથી લડશે તો PM મોદી સામે આ દિગ્ગજ નેતા ઉતરશે મેદાને
Congress Candidates List: વાયનાડથી રાહુલ ગાંધી, પીએમ મોદી સામે અજય રાય, પ્રિયંકા ગાંધી પર સસ્પેન્સ... કોંગ્રેસની સંભવિત યાદીમાં અનેક મોટા નામ
![Congress Candidates List: કોંગ્રેસની સંભવિત યાદીમાં અનેક મોટા નામ સામેલ, રાહુલ આ સ્થાનથી લડશે તો PM મોદી સામે આ દિગ્ગજ નેતા ઉતરશે મેદાને Rahul Gandhi will contest from Kerala's Wayanad, announced Congress's possible list for the Lok Sabha elections Congress Candidates List: કોંગ્રેસની સંભવિત યાદીમાં અનેક મોટા નામ સામેલ, રાહુલ આ સ્થાનથી લડશે તો PM મોદી સામે આ દિગ્ગજ નેતા ઉતરશે મેદાને](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/dc3873e657c42a5b902f64ba29bd4106170981529847981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress Candidates List: કોંગ્રેસ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. દરમિયાન સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડી શકે છે અને અમેઠીથી નહીં. તેઓ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં અમેઠીથી વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા, પરંતુ વાયનાડથી જીત્યા હતા.
પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે? આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે તે યુપીના રાયબરેલીથી સામાન્ય ચૂંટણી લડશે.
પીએમ મોદી સામે કોને ટિકિટ આપવામાં આવશે?
પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને ટિકિટ આપી શકે છે. જ્યારે સુપ્રિયા શ્રીનેત ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે.
દિલ્હીથી કોને ટિકિટ મળી શકે?
કોંગ્રેસ ચાંદની ચોકથી અલકા લાંબા, ઉત્તર પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી શકે છે.
હરિયાણામાં કોને મળશે ટિકિટ?
હરિયાણાની વાત કરીએ તો કોંગ્રેસ અંબાલાથી કુમારી સેલજા, રોહતકથી દીપેન્દ્ર હુડ્ડા, ભિવાની-મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી અને ગુડગાંવથી કેપ્ટન અજય સિંહ યાદવ પર દાવ લગાવી શકે છે.
સચિન પાયલટને કઇ સીટ પરથી ટિકિટ અપાશે?
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી શકે છે. ભરતપુર ટોંકથી સચિન પાયલટ, ભીલવાડાથી સીપી જોશી અને કોટા બુંદીથી શાંતિ ધારીવાલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
આ સિવાય કોંગ્રેસ અલવરથી ભંવર જિતેન્દ્ર સિંહ, ઝુંઝુનુથી બ્રિજેન્દ્ર ઓલા, સીકરથી ગોવિંદ સિંહ દોતાસરા અને બાડમેરથી હરીશ ચૌધરીને ટિકિટ આપી શકે છે.
છત્તીસગઢ
- - ભૂપેશ બઘેલ- રાજનાંદગાંવ
- - દીપક બૈજ- બસ્તર
- - જ્યોત્સના મહંત- કોરબા
- - તામ્રધ્વજ સાહુ- દુર્ગ
બિહાર
- - મોહમ્મદ જાવેદ- કિશનગંજ
- - તારિક અનવર- કટિહાર
- - નિખિલ કુમાર- ઔરંગાબાદ
બેંગલુરુ ગ્રામીણ
- ડીકે સુરેશ- બેંગલુરુ ગ્રામીણ
પંજાબ
- - મનીષ તિવારી- ચંદીગઢ
- - નવજોત સિદ્ધુ- પટિયાલા
મધ્યપ્રદેશ
- - સજ્જન વર્મા- દેવાસ
- - રાકેશ સિંહ ચતુર્વેદી- ભીંડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)