Corona Positive: રાજસ્થાનના CM ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
Rajasthan CM Corona Positive: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે કહ્યું કે, હું આઈસોલેશનમાં છે. હું વર્ચ્યુઅલ માધ્યમથી તમામ કાર્યક્રમોમાં ભાગ લઈશ.
CM Bhajan Lal Sharma Corona Positive:કોરોના પોઝિટિવ હોવાને કારણે, મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ કૃષિ સંશોધન કેન્દ્ર દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને ત્યાં હાજર મહિલા શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
स्वास्थ्य समस्या के चलते आज स्वास्थ्य परीक्षण करवाने पर आज मेरी कोविड रिपोर्ट पॉजिटिव आई है।
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 6, 2024
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं एवं आगामी सभी कार्यक्रमों में वर्चुअल माध्यम से सम्मिलित रहूंगा।
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. છેલ્લા ઘણા દિવસોથી તબિયતની સમસ્યાને કારણે રાજસ્થાનના સીએમનો આજે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે પરિણામ સ્વરૂપ તેઓ આઈસોલેટ થયા છે.
જ્યારે સોશિયલ સાઈટ પર પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી રહ્યા છે હું સેલ્ફ-આઇસોલેશનમાં છું અને ડોકટરોની સલાહને સંપૂર્ણપણે અનુસરી રહ્યો છું અને કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપીશ.
ઉલ્લેખનીય છે કે, આજે કોરોના પોઝિટિવ હોવાને કારણે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કૃષિ સંશોધન કેન્દ્ર દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને ત્યાં હાજર મહિલા શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેનાર મુખ્યમંત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'ત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા: આજે તેમણે સભાગૃહ કૃષિ સંશોધન કેન્દ્ર, દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં ઉપસ્થિત નારી શક્તિને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. . આ પ્રસંગે મને માનનીય વડાપ્રધાન મોદીનું જોરદાર ભાષણ સાંભળવાનો અને તેમનું દિલથી માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો.
यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 6, 2024
आज ऑडिटोरियम कृषि अनुसंधान केन्द्र दुर्गापुरा में आयोजित शक्ति वंदन अभियान के समापन समारोह कार्यक्रम में उपस्थित नारी शक्ति को वर्चुअल माध्यम से संबोधित किया। इस सुअवसर पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के ओजस्वी उद्बोधन… pic.twitter.com/Zcha5uhHGH