શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડામાં 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો

રાજકોટ શહેરમાં માવા બાદ મોટા પ્રમાણમાં મલાઈનો જથ્થો ઝડપાયો છે. એક્સપાયરીવાળા જથ્થાનો મહાનગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવશે.

રાજકોટ: રાજકોટના લોકોએ શું ખાવુ અને શું ન ખાવું તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. રાજકોટ શહેરમાં માવા બાદ મોટા પ્રમાણમાં મલાઈનો જથ્થો ઝડપાયો છે. એક્સપાયરીવાળા જથ્થાનો મહાનગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવશે. માવાની જેમ મલાઈનો જથ્થો પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બનાવવામાં આવતો હતો. યુનિટ સીલ થાય ત્યાં સુધીની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી શકે. મલાઈના જથ્થાના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

આઈસ્ક્રીમ ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આઈસ્ક્રીમ ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. રવિરાજ આઈસ્ક્રીમમાં આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. 7000 કિલો એક્સપાયરી થયેલો મલાઈનો જથ્થો ઝડપાયો હતો. જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સની મલાઈ હોવાનું આવ્યું સામે છે. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ઉત્પાદન કરેલું હોવાનું સામે આવ્યું છે. સરધાર રોડ પર આવેલ રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કર્યું હોવાનું સામે આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ ચાવડાએ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ રવિરાજ આઈસ્ક્રીમમાં કોલ્ડ સ્ટોરેજ કર્યું હતું.

7 ટન જેટલો જથ્થો ઝડપાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા આઠ દિવસમા રાજ્યમાં સૌથી મોટા અખાદ્ય જથ્થા પકડી પાડ્યા છે. આ પહેલા રાજકોટના મોરબી રોડ પર માવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને હવે મલાઈનો જથ્થો મોટા પ્રમાણમાં પકડી પાડવામાં આવ્યો છે. આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવશે. આ સાથે જ ઉત્પાદક પેઢી અને કોલ સ્ટોરેજના માલિકને પણ નોટિસ ફટકારવામાં આવશે.  7000 કિલો એટલે કે 7 ટન જેટલો જથ્થો લોકોના પેટ સુધી પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગ આ પાપીઓ સુધી પહોંચી ગયું છે.  રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા રફાળા ગામે જનતા ફૂડ પ્રોડક્ટમાં બનતો હતો ત્યાં પણ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.

ફૂડ ઇન્સ્પેક્ટર,મનપા રાજકોટ હાર્દિક મેતાએ કહ્યું કે, રાજકોટ શહેરમાં દૂધ અને દૂધની બનાવટ મોટા પ્રમાણમાં છેલ્લા છ મહિનાથી પકડાઈ રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા માવાનો જથ્થો જે રાજકોટની ભાગોળે આવેલા રીબડા ગામની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનતો હતો અને હવે મલાઈનો જથ્થો જે પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એવા રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા રફાળા ગામે બનતો હતો. રાજકોટ શહેરના આરોગ્ય વિભાગ દ્વારા તો વારંવાર કરવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેમના દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી આવા તત્વો સામે કરવાની જરૂરિયાત છે.

એક સમયે ખાણીપીણી માટે પ્રખ્યાત એવા રાજકોટને હવે નજર લાગી ગઈ હોય તે પ્રમાણેનો માહોલ છેલ્લા બે ત્રણ વર્ષથી જોવા મળે છે.  રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અનેક એવી વસ્તુઓ પકડાઈ છે કે લોકો પણ વિચાર કરી રહ્યા છે કે શું ખાવું અને શું ન ખાવું ? કાયદાઓ પણ હવે કડક બનાવવાની જરૂરિયાત છે જેથી આવા  તત્વો પર આરોગ્ય વિભાગ દાખલો બેસાડી શકે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget