શોધખોળ કરો

રાજકોટમાં સીઆર પાટીલની ભાજપના નેતાઓને ટકોર, કહ્યું,-  ટીકીટ જોઈએ, મંત્રી બનવું પરંતુ ..........

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલે રાજકોટમાં પેજ કમિટીને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. સીઆર પાટીલે કહ્યું, મંત્રી અરવિંદ રૈયાણીના વિસ્તારમાં પેઈજ કમિટી અધૂરી છે.

રાજકોટ: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલે રાજકોટમાં પેજ કમિટીને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. સીઆર પાટીલે કહ્યું, મંત્રી અરવિંદ રૈયાણીના વિસ્તારમાં પેઈજ કમિટી અધૂરી છે. લાખો કાર્યકરો હોવા છતા કેમ પેઈજ કમિટી ન બની. વિધાનસભા ટિકિટ જોઈએ છે, મંત્રી બની ગયા પણ પેઈજ કમિટીના કામ ન થયા.

રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કાર્યકારોને સંબોધન કર્યું હતું.  રાજકોટના ધારાસભ્યો,સાંસદો અને સંગઠનના હોદ્દેદારો સાથે  બેઠક કરી હતી.   કાર્યકરોને સામાજિક કામો કરવા સંબોધન કર્યું. ગાયોના પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ભાજપના કાર્યકરો કામ કરે. 


રાજકોટમાં પાર્ટીના પેઈજનું કામ 100 ટકા નથી થયું.  આ ટકાવારી ખોટું બોલવા માટે આગળ પડતી હોય છે. રાજકોટમાં પેઈજ કમિટીનું કામ 100 ટકા થયું નથી. પેઇજ કમિટીનો ફિગર કાલે આપો. રાજકોટ શહેરી વિસ્તાર છે લાખો કાર્યકર્તા છે છતાં કેમ પેઈજ કમિટી ન બની ?.  અરવિંદ રૈયાણીના મત વિસ્તારમાં પણ પેઈજ કમિટી અધૂરી છે.  વિધાનસભા ટિકિટ જોઇએ છે મંત્રી પણ બની ગયા છતાં પેઈજ કમિટી કામ પૂર્ણ નથી થયું મને આ પસંદ નથી. 

રાજકોટમાં મેયર બંગલા ખાતે  સીઆર પાટીલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી તથા વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને પક્ષના અન્ય પદાધિકારીઓ સાથે ટુંકી બેઠક યોજી હતી.  રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. બાદમાં તેઓ વાંકાનેર કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.  

આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા 

રાજ્યમાં આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે.   જેના કારણે મોબાઈલ કનેક્ટિવિટી બંધ થઈ જશે.  પરીક્ષમાં ગેરરિતી ન થાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી મામલે  DGP અને PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી હતી.   6 માર્ચના  યોજાવાની PSI ભરતીની લેખિત પરિક્ષા યોજાવાની છે.  

ભરતી બોર્ડમાં કેન્દ્ર સંચાલકો સાથે મીટીંગ થઈ છે.   પરીક્ષા લઈને 75 પાના ની એક એસઓપી નક્કી કરી છે.  છેલા અમુક વર્ષોમાં ભરતી પરીક્ષાની અમુક બાબતો ધ્યાને છે,  અમુક ભરતીના પેપર લીક પણ થયા છે.  આ બાબતને ધ્યાને રાખી પીએસઆઈ બોર્ડના અધ્યક્ષતાના નાતે બધી જ બાબત ને ગંભીરતાથી લેવામાં આવી છે.

આવતીકાલે 9 થી 11 પોલીસ ભરતી પરીક્ષા યોજાશે.  કોરોનાના કારણે ભરતી પરીક્ષા અટકી પડી હતી.  શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી.  જેમાંથી 96231 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Embed widget