ગુજરાતના કયા શહેરમાં કોરોનાના દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ?
સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો છે. ચોથા માળેથી નીચે ઝંપલાવી પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે અને હોમ આઇસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.
![ગુજરાતના કયા શહેરમાં કોરોનાના દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ? Corona patient jump from 4th floor of hospital in Rajkot , patient died on the spot ગુજરાતના કયા શહેરમાં કોરોનાના દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/17/4ceed64b93ecb9fea4565ef91515a88b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોનાના વધુ એક દર્દીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધો છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો છે. ચોથા માળેથી નીચે ઝંપલાવી પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે અને હોમ આઇસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499 પર પહોંચ્યો છે. જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76 ટકા છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10, જામનગર કોર્પોરેશન- 9, સુરત 3, જામનગર-5, બનાસકાંઠા 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0, ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 4, સાબરકાંઠા 4, ભાવનગર 7, જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6, વલસાડ 1, ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1, પોરબંદર 1, ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4616, સુરત કોર્પોરેશન-1309, વડોદરા કોર્પોરેશન 497, મહેસાણા 493, વડોદરા 439, ભાવનગર કોર્પોરેશન 431, રાજકોટ કોર્પોરેશ 397, જામનગર કોર્પોરેશન- 393, સુરત 347, જામનગર-319, બનાસકાંઠા 199, કચ્છ 187, મહીસાગર 169, ગાંધીનગર 162, નવસારી 160, દાહોદ 159, ખેડા 159, ગાંધીનગર કોર્પોરેશન 155, જૂનાગઢ કોર્પોરેશન 148, સાબરકાંઠા 141, ભાવનગર 140, જૂનાગઢ 132, પાટણ 131, આણંદ 127, રાજકોટ 127, વલસાડ 125, ગીર સોમનાથ 120, મોરબી 110, અરવલ્લી 109, પંચમહાલ 108, નર્મદા 103, ભરૂચ 101, અમરેલી 99, છોટા ઉદેપુર 99, સુરેન્દ્રનગર 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપી 49, પોરબંદર 44, ડાંગ 26 અને બોટાદ 14 સાથે કુલ 12820 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 99,41,391 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,25,73,211 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)