શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો

Rajkot News: ધૂણતા ધૂણતા મહિલાએ અનેક લોકો પર હુમલો કર્યો હતો. તે મહિલાએ પત્રકાર સહિતના લોકો પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધાના દ્રશ્યો સામે આવ્યા.
  • એક મહિલા ભૂત-પ્રેતના નામે ધૂણી, લોકો પર હુમલો કર્યો.
  • પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા મુદ્દે પડકાર્યો.
  • પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા પીપળીયાની અટકાયત કરી હતી.

Rajkot News: રાજકોટમાં બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર' બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ  લાગ્યો છે. દિવ્ય દરબાર બાદ ભૂત-પ્રેત કાઢતા હોવાના નાટકો કરવામાં આવ્યા હતા.  ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત-પ્રેત ધૂણ્યા હોવાનો આડંબર ચાલ્યો હતો. ધૂણતા ધૂણતા મહિલાએ અનેક લોકો પર હુમલો કર્યો હતો. તે મહિલાએ પત્રકાર સહિતના લોકો પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

મહિલામાં પ્રેત આવ્યા હોવાના નામે હુમલો કર્યો હતો. લોકો ધૂણતા રહ્યા અને ધીરેંદ્ર શાસ્તી તમાશો જોતા રહ્યા હતા. દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ દરબારમાં હાજર કેટલા લોકો અચાનક 'ધૂણવા' લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર 'પ્રેત' આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.

પુરુષોત્તમ પીપળીયાની અટકાયત 

બીજી તરફ સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ફરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો હતો. પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા લખ્યું છે કે તાકાત હોય તો તેમની પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરાની ચેલેન્જ આપે. ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા નીકળેલા સહકારી આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત કરી હતી. 

પુરૂષોત્તમ પીપળીયા રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે જ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત કરી હતી. પુરૂષોત્તમ પીપળીયાને પોલીસનું સ્પષ્ટ કહેવું હતું કે જો આપ ઘરમાં જ રહેશો તો કોઈ અટકાયત નહીં થાય. પરંતુ પોલીસના સમજાવ્યા છતા પણ પુરૂષોત્તમ પીપળીયા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્યા દરબારમાં જવા માટે નીકળતા પોલીસે તેની અટકાયત કરી હતી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પુરૂષોત્તમ પીપળીયાએ કહ્યુ કે હનુમાન કથાનો કોઈ વિરોધ નથી. ભૂત, પીસાચ અને ધીરેન્દ્ર શાસ્ત્રી તરફથી ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે તેમનો વિરોધ છે. પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો હતો.  તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. 

Frequently Asked Questions

રાજકોટના દિવ્ય દરબાર બાદ કેવા દ્રશ્યો જોવા મળ્યા?

દિવ્ય દરબાર બાદ જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના આક્ષેપ થયા છે. ભૂત-પ્રેત કાઢવાના નાટકો કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાએ લોકો પર હુમલો કર્યો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે પડકાર ફેંક્યો અને શા માટે?

સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. તેઓ હનુમાન કથાના નહીં, પરંતુ શાસ્ત્રી દ્વારા ફેલાવાતી અંધશ્રદ્ધાના વિરોધમાં છે.

પુરુષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત શા માટે કરી હતી?

પુરુષોત્તમ પીપળીયા દિવ્ય દરબારમાં જવા નીકળ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તેમને ઘરમાં જ રહેવા જણાવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેવા આરોપો મૂકવામાં આવ્યા છે?

તેમના પર જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો, લોકોને ગેરમાર્ગે દોરવાનો અને દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમવાનો આરોપ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Embed widget