શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો

Rajkot News: ધૂણતા ધૂણતા મહિલાએ અનેક લોકો પર હુમલો કર્યો હતો. તે મહિલાએ પત્રકાર સહિતના લોકો પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધાના દ્રશ્યો સામે આવ્યા.
  • એક મહિલા ભૂત-પ્રેતના નામે ધૂણી, લોકો પર હુમલો કર્યો.
  • પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા મુદ્દે પડકાર્યો.
  • પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા પીપળીયાની અટકાયત કરી હતી.

Rajkot News: રાજકોટમાં બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર' બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ  લાગ્યો છે. દિવ્ય દરબાર બાદ ભૂત-પ્રેત કાઢતા હોવાના નાટકો કરવામાં આવ્યા હતા.  ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ ભૂત-પ્રેત ધૂણ્યા હોવાનો આડંબર ચાલ્યો હતો. ધૂણતા ધૂણતા મહિલાએ અનેક લોકો પર હુમલો કર્યો હતો. તે મહિલાએ પત્રકાર સહિતના લોકો પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

મહિલામાં પ્રેત આવ્યા હોવાના નામે હુમલો કર્યો હતો. લોકો ધૂણતા રહ્યા અને ધીરેંદ્ર શાસ્તી તમાશો જોતા રહ્યા હતા. દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ દરબારમાં હાજર કેટલા લોકો અચાનક 'ધૂણવા' લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર 'પ્રેત' આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો.

પુરુષોત્તમ પીપળીયાની અટકાયત 

બીજી તરફ સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ફરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો હતો. પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા લખ્યું છે કે તાકાત હોય તો તેમની પસંદગીના મીડિયા હાઉસમાં મોરે મોરાની ચેલેન્જ આપે. ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા નીકળેલા સહકારી આગેવાન પુરૂષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત કરી હતી. 

પુરૂષોત્તમ પીપળીયા રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે જ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત કરી હતી. પુરૂષોત્તમ પીપળીયાને પોલીસનું સ્પષ્ટ કહેવું હતું કે જો આપ ઘરમાં જ રહેશો તો કોઈ અટકાયત નહીં થાય. પરંતુ પોલીસના સમજાવ્યા છતા પણ પુરૂષોત્તમ પીપળીયા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્યા દરબારમાં જવા માટે નીકળતા પોલીસે તેની અટકાયત કરી હતી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પુરૂષોત્તમ પીપળીયાએ કહ્યુ કે હનુમાન કથાનો કોઈ વિરોધ નથી. ભૂત, પીસાચ અને ધીરેન્દ્ર શાસ્ત્રી તરફથી ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે તેમનો વિરોધ છે. પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો હતો.  તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. 

Frequently Asked Questions

રાજકોટના દિવ્ય દરબાર બાદ કેવા દ્રશ્યો જોવા મળ્યા?

દિવ્ય દરબાર બાદ જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના આક્ષેપ થયા છે. ભૂત-પ્રેત કાઢવાના નાટકો કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાએ લોકો પર હુમલો કર્યો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે પડકાર ફેંક્યો અને શા માટે?

સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. તેઓ હનુમાન કથાના નહીં, પરંતુ શાસ્ત્રી દ્વારા ફેલાવાતી અંધશ્રદ્ધાના વિરોધમાં છે.

પુરુષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત શા માટે કરી હતી?

પુરુષોત્તમ પીપળીયા દિવ્ય દરબારમાં જવા નીકળ્યા ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુસર પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તેમને ઘરમાં જ રહેવા જણાવ્યું હતું.

ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેવા આરોપો મૂકવામાં આવ્યા છે?

તેમના પર જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો, લોકોને ગેરમાર્ગે દોરવાનો અને દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમવાનો આરોપ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget