શોધખોળ કરો

Rajkot: રાજકોટથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો, બાંગ્લાદેશનો હેન્ડલર આપવાનો હતો ટાર્ગેટ

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાંથી ઝડપ્યા હતા.

રાજકોટઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાંથી ઝડપ્યા હતા.  આ ત્રણેય શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના વતની છે અને સોની બજારમાં મજૂરી કામ કરતા હતા. ત્રણેય શખ્સોના હેન્ડલર બાંગ્લાદેશી છે. ગુજરાત ATSએ આરોપીઓ પાસેથી પિસ્તોલ અને 10 કારતૂસ ઉપરાંત ઉશ્કેરણીજનક સાહિત કબ્જે કર્યુ હતું.


Rajkot: રાજકોટથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો, બાંગ્લાદેશનો હેન્ડલર આપવાનો હતો ટાર્ગેટ

આ મામલે મોટો ખુલાસો થયો હતો કે ત્રણેય આતંકવાદીઓએ હથિયાર ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ મેળવી હતી. એટલું જ નહી તેમનો બાંગ્લાદેશી હેન્ડલર ટાર્ગેટ આપવાનો હતો. હાલમાં આ મામલે એટીએસ તપાસ કરી રહી છે. આ શખ્સો રાજકોટ કે સૌરાષ્ટ્રમાં કઈ યોજનાને અંજામ આપવાની ફીરાકમાં હતા તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. ત્રણેય આતંકીઓ સાથે બીજા કોઈ બંગાળી મજૂરો કે શખ્સો જોડાયેલા છે કે કેમ તે અંગે પણ ATS તપાસ કરી રહી છે.  આ માટે હાલમાં કેટલાક શખ્સોને ડિટેઈન કરાયા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.


Rajkot: રાજકોટથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો, બાંગ્લાદેશનો હેન્ડલર આપવાનો હતો ટાર્ગેટ

રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણેય આતંકીઓને લઈને હવે સોની વેપારીઓએ વિચારણા કરવાની જરૂર છે. બંગાળી કામદારો પહેલા સોની બજારમાં દુકાનો ભાડે રાખે છે અને બાદમાં અહીંયા દુકાનની ખરીદી કરી માલિક બની જાય છે. જેથી હવે એ પણ તપાસ થવી જોઈએ કે જે કામદારો પાસે દુકાન ભાડે રાખવાના નાણાં નથી હોતા. તેમની પાસે દુકાન ખરીદવાના રૂપિયા ક્યાંથી આવે છે.

છેલ્લા સાત મહિનામાં ગુજરાતમાંથી ATS ત્રીજું આતંકી મોડ્યુલ ઝડપી પાડ્યું છે. વર્ષની શરુઆતમાં ગુજરાત ATSની ટીમે અમદાવાદમાં સોનીની ચાલીમાંથી ચાર લોકોને ઉઠાવ્યા હતા.  આ તમામ લોકો અલકાયદાને સક્રિય કરવા માટે પ્રચાર કરતા હતા.  જે બાદ જૂન મહિનામાં પોરબંદરમાં એક ઑપરેશન પાર પડાયુ હતું. જેમાં એક મહિલા સહિત છ કાશ્મીરીઓ ઝડપાયા હતા. આ લોકો ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસાન પ્રોવિસન્સ નામની સંસ્થા માટે કામ કરતા હતા. તો હવે રાજકોટમાં સોનીની ચાલીમાંથી ત્રણ આતંકીઓને ઝડપી લેવાયા છે.

રાજકોટમાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. થોડા દિવસ અગાઉ કુવાડવા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી બાયોડિઝલનો 12 હજાર લીટરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે તે સમયે 12 લોકોની ધરપકડ કરાઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget