શોધખોળ કરો

Gujarat Election 2022 : રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, દાવેદારોના લિસ્ટમાં રૂપાણીનું નામ નહીં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ભાજપની સેન્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં.

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ભાજપની સેન્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં. વિજય રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે. વિજય રૂપાણીનું નામ સમર્થકો દ્વારા નિરીક્ષકો સમક્ષ મુકાય તેવી શક્યતા છે. 

Gujarat Election 2022 : શંકર ચૌધરીએ ઉત્તર ગુજરાતની કઈ બેઠક પરથી નોંધાવી દાવેદારી?

Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આજે બનાસકાંઠાની વાવ બેઠક પર દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી 3 નેતાઓએ દાવેદારી નોંધાવી છે, જેમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો પણ સમાવેશ થાય છે. 

પ્રદેશના નિરીક્ષકો દ્વારા બનાસકાંઠાની 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઈ

વાવ વિધાનસભા...7

1...શંકરભાઈ ભાઈ ચૌધરી 

2...ગજેન્દ્રસિંહ રાણા 

3..પથુજી ઠાકોર

વાવ માં પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી સહિત અન્ય બે લોકોએ નોંધાવી દાવેદારી

દાંતા વિધાનસભાઃ  દાંતા વિધાનસભા ઉમેદવારોનો રાફડો, 17 લોકોએ દાવેદારી નોંધાવી

1..નરેશ રાણા 

2..અમરાભાઇ ડામોર

3..ભોજાભાઇ તરાલ

 4... .હેમરાજ રાણા

5...માંલજી કોદરવી

6..મોતીભાઈ બુંબડિયા

7..સ્વરૂપ રાણા

8....નિલેશ બુમ્બડીયા

9..લાધુ પારગી

10..માંધુ રાણા

11..આશાબેન ભીલ

12..રવિન્દ્ર ગમાર

13..લક્ષ્મણભાઈ ડુંગશીયા

14..નવા ભાઈ કોદરવી

15..લાલજી સોલંકી

16..લાડુ ભાઈ ભગોરા

17....માના ભાઈ વોશિયા

Gujarat Election 2022 : અમરેલીની સાવરકુંડલા બેઠક પર ભાજપમાંથી 16 લોકોએ નોંધાવી દાવેદારી, વાંચો આખું લિસ્ટ

Gujarat Election 2022 : અમરેલીની સાવરકુંડલા વિધાનસભા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સાવરકુંડલા વિધાનસભા માટે સૌથી વધુ 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રથમ સાવરકુંડલા બેઠકના દાવેદારો માટે ભાજપનાં નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. 3 પૂર્વ ધારાસભ્યો સહિત 16 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. 

પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા, સહિતના પૂર્વ ધારાસભ્યો દાવેદારી કરી. 16 દાવેદારી નોંધવાનારા ઇચ્છુકોમાં નામવલી જોઇએ તો સુરેશ પાનસૂરીયા, વિપુલ દુધાત, ભીખુભાઈ ધરાજીયા,કાળુભાઇ વિરાણી, દીપક માલાણી,  વી.વી.વઘાસિયા, કમલેશ કાનાણી, પુનાભાઈ ગજેરા, પ્રવીણ સાવજ, હનુભાભા ધોરાજીયા, પરાગ ત્રિવેદી સહિતના દાવેદારો છે. 

Gujarat Election 2022 : કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન નહિ પરંતુ ભાજપના કાર્યકર્તાને ટીકીટ આપવામાં આવેઃ કુમાર કાનાણી

સુરતઃ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ટિકિટને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ઉદ્યોગપતિને ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને ટીકીટ કઇ રીતે આપવી જોઈએ. બુથના કાર્યકરોને જ ટીકીટ આપવી જોઈએ. જેની સાથે ભાજપને લેવા દેવા નથી તો શા માટે તેમને ઉમેદવારી નોંધાવવા દેવી જોઈએ. મારા વિસ્તારના લોકોના પ્રશ્નો મેં સાંભળ્યા છે.

તેમણે કહ્યું કે, વરાછા વિધાનસભા સાંભળવાનો સમય છે .હું 10 વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું. મને વિશ્વાસ છે મને પસંદ કરાશે. મેં વરાછા વિસ્તારના લોકોના સમસ્યા સાંભળી. આશા રાખું કે ફરી વાર મને બીજેપી તક આપશે. કુમારભાઈએ ડાયમંડ ઉદ્યોગ પતિ દિનેશ નવડિય અંગે કહ્યું કે, બધાને પોતાની દાવેદારી કરવાનો અધિકાર છે , પરંતુ હું માનું છું કે ભાજપના કેટલાક નિયમો છે. ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને સાંભળવાનો ભાજપનો નિયમ છે. 

તેમણે કહ્યું કે, કોઈ ઉદ્યોગપતિ આવે અને દાવેદારી માંગે એ મને યોગ્ય નહિ લાગતું. પરંતુ કોઈ ઉદ્યોગપતિ ને કેવી રીતે પ્રતિનિધિત્વ અપાય.  ઉદ્યોગપતિ બીજેપીનું કામ નહિ કર્યું કોઈ દિવસ. કાર્યકર્તાઓ કાયમ કામ કરે છે. કામ  માટે દોડે છે કાર્યકર્તાઓ. જે લોકોને ભાજપ સાથે જોડાવાનો કોઈ અધિકાર નથી તે ના ચાલે. અમિત શાહે કીધું છે કે  જીતે એ મારો ઉમેદવાર. 

અમિતભાઈ અથવા બીજા કે કઈ નિર્ણય લેશે એ યોગ્ય રહેશે એને હું સમર્થન આપીશ અને માનીશ. હું આજે નિરક્ષકો આગળ મારી વાત મૂકીશ રજૂઆત કરીશ. જે લોકો બીજેપી નું કામ નહિ કરતા એને તક શા માટે મળે. એટલે બધું વિચારી ઉમેદવાર પસંદ કરવામાં આવશે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કરી નિરીક્ષકોને રજૂઆત. કુમાર કનાની દ્વારા ઉદ્યોગપતી દિનેશ નવડિયાનો ખુલ્લે આમ વિરોધ કરાયો છે. કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન નહિ પરંતુ ભાજપના કાર્યકર્તાને ટીકીટ આપવામાં આવે. ચૂંટણી જીતવી કાયમ અઘરી હોય છે. પરંતુ ભાજપ ના કાર્યકરો આ જંગ જીતવા તનતોડ મહેનત કરશે. હવે કે કઈ નિર્ણય આવશે એ માન્ય રખાશે.

સુરતની 12 વિધાનસભા પૈકી છ બેઠકો માટે ટિકિટ વાંચ્છુક ઉમેદવારોને આજે સાંભળવામાં આવ્યા. આજે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યાથી વરાછા અને ઉધના બેઠક માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા. વરાછા વિધાનસભા માટે 15 અને ઉધના વિધાનસભા બેઠક માટે 17 દાવેદારોએ દાવેદારી નોંધાવી. દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. હવે બીજા રાઉન્ડમાં 2 વાગ્યે મજુરા અને કરંજ વિધાનસભા બેઠક માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કરાશે.

ઉધનામાંથી પ્રતિભા દેસાઈ, ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા સોમનાથ મરાઠે, સિદ્ધાર્થ સરદાર, મુળજી ઠક્કરે કરી રજુઆત. પૂર્વ શાસક પક્ષ નેતા ગીરજાશંકર મિશ્રા, ભાજપના લીગલ એડવાઈઝર વિનય શુક્લા. આ બેઠક ઉત્તર ગુજરાતના પાટીદારો અને હિન્દીભાષી મતદારોના પ્રભુત્વવાળી છે. હાલ સુરતની વરાછા અને ઉધના વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ. ભાજપની મહત્વની વરાછા બેઠક માટે ખેંચતાણ જેવી સ્થિતિ. વરાછા વિધાનસભા બેઠક માટે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ. કુમાર કાનાણી એ ઉદ્યોગપતિ ને ટીકીટ નહીં આપવા રજુઆત કરી.  તેની સામે હીરા ઉદ્યોગના વિવિધ સંગઠનોએ હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા ને ટીકીટ આપવાની માંગ સાથે કમલમ પહોંચ્યા. સુરત ડાયમંડ એસો, મિનિબજાર ડાયમંડબ્રોકર એસો, રત્નકલાકાર સંઘ સહિત અનેક સંસ્થા ના આગેવાનો દિનેશ નાવડીયા ને ટીકીટ આપવા રજુઆત કરવા પહોંચ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડેDhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય
Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Embed widget