શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગીર-સોમનાથ જિલ્લાના આ વિસ્તારમાં અનરાધાર 7 ઇંચ વરસાદ ખાબક્યો, સરસ્વતી નદીમાં પૂર આવ્યા
ભારે વરસાદને પગલે કોડિનારના બ્રિજ પર સિંગોડા નદીના પાણી ફરી વહ્યા હતા.
![ગીર-સોમનાથ જિલ્લાના આ વિસ્તારમાં અનરાધાર 7 ઇંચ વરસાદ ખાબક્યો, સરસ્વતી નદીમાં પૂર આવ્યા Heavy rainfall of 7 inches fell in this area of Gir-Somnath district ગીર-સોમનાથ જિલ્લાના આ વિસ્તારમાં અનરાધાર 7 ઇંચ વરસાદ ખાબક્યો, સરસ્વતી નદીમાં પૂર આવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18134554/madhavrai-temple.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વેરાવળઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાત અનરાધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. અહીં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. કોડીનાર શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા કોડીનાર પાણી પાણી થયું હતું.
ભારે વરસાદને પગલે કોડિનારના બ્રિજ પર સિંગોડા નદીના પાણી ફરી વહ્યા હતા. સરસ્વતી નદીમાં પૂર આવતા તાલાલા ગીરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. પ્રાચી તીર્થથી તાલાળા જવાના રસ્તા પર પાણી ફરી વળતા બંધ થયો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને ખેતરો તળાવોમાં ફેરવાઈ ગયા હતા. ગીર જંગલમાંથી નીકળથી સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જાણે અફાટ દરિયો હોય તેમ તેના વહેણ વહી રહ્યા છે. ભારે વરસાદને પગલે માધવરાજય મંદિર હજું પાણીમાં ગરકાવ છે. મંદિરમાં ભગાવનની પ્રતીમા પર 20 ફૂટ ઉપરથી સરસ્વદી નદીનું પાણી વહી રહ્યું છે.
તો બીજી બાજુ તાલાલાના જાંબુર ગામે હિરણ નદીના ધસમસતા પ્રવાહમાં સિદી યુવાનો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)