શોધખોળ કરો

Rupala Controversy: રૂપાલા સામેની લડાઇમાં લડી લેવાના મૂડમાં ક્ષત્રિય સમાજ, આજે ક્ષત્રિસ સમાજની પ્રેસ કૉન્ફરન્સ

ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે

Rupala Controversy: ગુજરાતમાં રૂપાલા Vs ક્ષત્રિય સમાજની લડાઇ હવે આગળ વધી ગઇ છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયા બાદ ક્ષત્રિય સમાજને કોઇ નક્કર ઉકેલ મળી શક્યો નથી. હજુ પણ રાજ્યમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવા પર અડ્યો છે. ક્ષત્રિય સમાજ હવે ભાજપ અને રૂપાલા સામે લડી લેવાના મૂડમાં આવ્યો છે, આ અંતર્ગત આજે સવારે 11 વાગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા એક મહત્વની પત્રકાર પરિષદ યોજશે. 

ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ અંતર્ગત હવે રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ યોજાશે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજા આજે સવારે 11 વાગ્યે એક પત્રકાર પરિષદ યોજશે. આ પત્રકાર પરિષદ રાજકોટના અમરનાથ મંદિરમાં યોજાશે. આમાં કોઇ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. ગઇકાલે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજા હાજર રહ્યાં હતા, પરંતુ કોઇ નક્કર ઉકેલ મળી શક્યો ન હતો.

ગઇકાલે સોમવારે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને થઇ હતી, જેમાં રૂપાલાને ઉમેદવાર નહીં બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ રહ્યો હતો. આ બેઠક સોમવારે મોડી રાત સુધી ચાલી હતી, પરંતુ ક્ષત્રિય સમાજની સંકલન અને સરકાર વચ્ચે કોઇ પણ નક્કર ઉકેલ ન હતો નીકળ્યો શક્યો. આ બેઠકમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આમ તો આ બેઠક સકારાત્મક માહોલમાં મળી હતી. હાઈકમાન્ડ સુધી લાગણી પહોંચાડવાનો વિશ્વાસ મળ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજે કહ્યું કે, આંદોલન શાંતિથી, ગરિમાપૂર્વક ચાલી રહ્યુ છે. સરકાર પક્ષે હેરાનગતિ ન થતી હોવાનો ક્ષત્રિય સમાજનો મત પણ સામે આવ્યો છે.

શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Embed widget