શોધખોળ કરો

Morbi : માતાના મઢે ચાલીને જતી યુવતીને ડમ્પર ટક્કર મારતાં થયું મોત

કૈલાશબેન હરપાલભાઈ ધામેચા (ઉ.વ. 33 ) નામની શ્રદ્ધાળું યુવતી ચાલીને માતાના મઢ જઈ રહી હતી, ત્યારે  માળીયા હાઇવે પર શહેનશાવલીના પાટિયા નજીક ડમ્પર હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે.

મોરબીઃ આગામી 7મી ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે ભાવિકો ચાલીને માતાજીના દર્શને જતાં હોય છે. ત્યારે કચ્છમાં આવેલા માતાના મઢે પણ લોકો ચાલીને જતાં હોય છે. આવા જ એક પદયાત્રી યુવતીને માળીયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. 

આ અંગેની વિગતો એવી છે કે, કૈલાશબેન હરપાલભાઈ ધામેચા (ઉ.વ. 33 ) નામની શ્રદ્ધાળું યુવતી ચાલીને માતાના મઢ જઈ રહી હતી, ત્યારે  માળીયા હાઇવે પર શહેનશાવલીના પાટિયા નજીક ડમ્પર હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પદયાત્રીનું મોત થયું છે.  ઘટનાની જાણ થતાં માળીયા પોલીસે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર પર પ્રતિબંધ મૂકાયો છે તો મહારાષ્ટ્રમાં ગરબાના આયોજનને લીલીઝંડી અપાઇ છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મહામારીમાં ગરબાના આયોજનને લઇને રાજ્ય સરકાર દ્રારા ગાઇડ લાઇન રજૂ કરાઇ છે. ગુજરાતમાં પણ શેરી ગરબાને 400 લોકોની મર્યાદા સાથે મંજૂરી અપાઇ છે. જ્યારે પાર્ટી પ્લોટના આયોજન પર આ વર્ષે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં સરકારે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબાના આયોજનને મંજૂરી આપી છે. માસ્ક અને કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે મહારાષ્ટ્ર સરકારે ગરબાને મંજૂરી આપી છે, જો કે મુંબઇ સિવાયના મહારાષ્ટ્રમાં ગરબાની મંજૂરી અપાઇ છે. આરોગ્ય  વિભાગની મંજૂરી બાદ ખેલૈયા અને આયોજકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. 

મહારાષ્ટ્રના આરોગ્યે વિભાગે માસ્ક અને sopના પાલન સાથે મહારાષ્ટ્રમાં ગરબાને મંજૂરીઆપી છે.  આ નિર્ણયથી હવે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં નવેય દિવસ લોકો રંગેચંગે મા દુર્ગાની આરાધના કરી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ગરબા વિદેશમાં પણ આટલા જ લોકપ્રિય છે ત્યારે દુબઇ અમેરિકા,બ્રિટેનમાં પણ ગરબાનું આયોજન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતના પાર્ટી પ્લોટના ગરબા પર બેન લાગી જતાં ખેલૈયા અને આયોજકો સહિત કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે. 

 

સરકાર ગુજરાતમાં નવરાત્રિમાં કોઈપણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, માતાજીની પૂજા-આરતી માટે મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી લેવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. આ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બુધવારે ગાંધીનગરમાં પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં LED થકી દર્શન કરાવાશે. આ સાથે જ પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget