શોધખોળ કરો

મુખ્યમંત્રીના કાર્યક્રમની પત્રિકામાં રૂપાણીનું નામ નહીં, મંત્રી બોલ્યાઃ વર્તમાન મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રૂપાણીનું નામ લખવું ‘થોડું ઓલું’ લાગે.........

લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી સિવાયના રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ છે ત્યારે રૂપાણીનું નામ જાણી જોઈને કાઢી નંખાયું છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે. 

રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીની રાજકોટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સાવ બાદબાકી કરી નંખાઈ તેનો વિવાદ વકર્યો છે. આ વિવાદ વચ્ચે રાજકોટના બીજા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ સાવ વાહિયાત બચાવ કર્યો છે.

રાજકોટમાં  લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું આજે 9.45 કલાકે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીનું નામ જ નહોતું લખાયું.  વિજય રૂપાણી ભલે મુખ્યમંત્રી ના રહ્યા પણ રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય તો છે જ.

લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી સિવાયના રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ છે ત્યારે રૂપાણીનું નામ જાણી જોઈને કાઢી નંખાયું છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે.  ભાજપનાં સૂત્રોના મતે, આ વિજય રૂપાણીનું બહુ મોટું અપમાન કહેવાય કેમ કે રૂપાણી કરતાં અનેક ગણા જુનિયર ધારાસભ્યોનાં નામ યાદ આવ્યાં પણ રૂપાણીનું નામ યાદ ના રહ્યું.

આ મુદ્દે રાજકોટના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ સાવ વાહિયાત બચાવ કર્યો હતો કે, વિજય રૂપાણી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને વર્તમાન મુખ્યમંત્રી અંડરબ્રિજનું લોકાર્પણ કરતા હોય ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું આમંત્રણ પત્રિકામાં નામ લખવું ‘થોડું ઓલું’ લાગે. રૈયાણીએ  ‘થોડું ઓલું લાગે’ એટલે શું તેની સ્પષ્ટતા નહોતી કરી.

વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ ઉપેક્ષા કરી રહી હોવાની ચર્ચા સતત ચાલ્યા કરે છે. આ ચર્ચા વચ્ચે રાજકોટમાં બનેલી ઘટનાના પગલે ભાજપમાં જ એવી ચર્ચા છે કે, ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણીને કોરાણે મૂકી દેવાયા છે. ગુજરાતની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ રૂપાણીની ઉપેક્ષા કરી રહી છે તેનો આ વધુ એક પુરાવો છે. રૂપાણીનું નામ કેમ લખાયું જ નહીં એ સવાલ મોટો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget