શોધખોળ કરો

રૂપાલા મુદ્દે રાજકોટમાં પોસ્ટર વોર શરૂ, સમર્થકો અને વિરોધીઓએ અલગ અલગ વિસ્તારોમાં લગાવ્યા પોસ્ટરો

એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે તો હવે પાટીદાર સમાજ પણ રૂપાલના સમર્થનમાં આવ્યો છે.

Parshottam Rupala Controversy: પરષોતમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે તો હવે પાટીદાર સમાજ પણ રૂપાલના સમર્થનમાં આવ્યો છે. રાજકોટમાં રૂપાલના સમર્થન અને વિરોધમાં પોસ્ટર વોર શરૂ થયું છે.

વિરોધમાં પોસ્ટર

રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. રૂપાલાને મત ન આપવાની અપીલ કરતા પોસ્ટરમાં લખાણ લખાયા છે. રાજકોટનાં રેલ નગર વિસ્તારમાં ઘરે ઘરે જઈને ક્ષત્રિય સમાજની બહેનોએ પોસ્ટરો લગાડ્યા છે. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાની આગેવાનીમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. રૂપાલા બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. ક્ષત્રિય સમાજની બહેનોએ લોકોને રૂપાલાને મત ન આપવા માટે અપીલ કરી છે.

સમર્થનમાં પોસ્ટર

તો આ તરફ રાજકોટના સ્પીડવેલ ચોકમા રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે. પાટીદાર સમાજનુ PAAS સંગઠન રૂપાલાનાં સમર્થનમાં આવ્યું છે. ‘હુ સનાતની છુ, હું મોદીની સાથે છુ, હુ રૂપાલાની સાથે છુ’ ના લખાણ સાથે અલગ અલગ જગ્યાએ બેનરો લાગ્યા છે. પાસ કન્વીનર મિત બાવરિયાએ કહ્યું કે પાસ કમિટી સમગ્ર રાજકોટમા રૂપાલાના સમર્થનમા બેનરો લગાવશે.

શું છે સમગ્ર મામલો

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે. 

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે આ સમગ્ર મામલે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાને ક્લિન ચીટ આપી છે. જો કે ક્ષત્રિય સમાજમાં હજુ પણ તેમના નિવેદનને લઇને વિરોધ શમ્યો નથી. કરણી સેનાના મહિલા મોરચાના પદ્મીના બાએ આ મુદે ન્યાય મેળવા માટે ઉપવાસ પર ઉતર્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget