શોધખોળ કરો

Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

Rajkot: જે ઘરમાં થોડા કલાકો અગાઉ લગ્નની શરણાઇઓ વાગી રહી હતી તે ઘરમાં માતમ છવાઇ ગયો હતો

Rajkot: રાજકોટમાં સમાજ માટે ચેતવણીરૂપ ઘટના બની હતી. મિત્રો સાથેની મોજમસ્તીની થોડીક ક્ષણો કેવી રીતે પરિવારને આઘાત આપતી જાય છે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. રાજકોટના વાલાસણ ગામે લગ્ન પૂર્ણ કર્યા બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું એક કાર અકસ્માતમાં કરુણ મોત થયું હતું.

મળતી જાણકારી અનુસાર, રાજકોટના વાલાસમ ગામે લગ્ન બાદ વરરાજા પોતાની પત્ની પાસે જાય તે અગાઉ તેના કેટલાક મિત્રો તેને નાસ્તો કરવા માટે બહાર લઇ ગયા હતા. દરમિયાન રસ્તામાં જ સ્કોર્પિયો કાર પલટી ખાઇ જતા વરરાજાનું કમકમાટીભર્યું મોત થયું હતું. યુવકના મોતને પગલે જે ઘરમાં થોડા કલાકો અગાઉ લગ્નની શરણાઇઓ વાગી રહી હતી તે ઘરમાં માતમ છવાઇ ગયો હતો.


Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

લગ્ન કર્યા બાદ મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો વરરાજા

રાજકોટનાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ પાસે આવેલા આસ્થા રેસિડેન્સીમાં રહેતા વાળા પરિવારના પુત્ર રવિરાજસિંહના લગ્ન હતા. પરિવારજનોએ તેમના વતન વાલાસણ ગામે લગ્નનું આયોજન કર્યું હતું. 27 ફેબ્યુઆરીના રોજ સાંજે વરરાજા રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું હતું. નાના એવા ગામમાં ફુલેકુ ફર્યા બાદ લગ્નના મંડપમાં ફેરા ફરવામાં આવ્યા છે.

લગ્ન બાદ રવિરાજસિંહના માતાએ નવદંપતિનું સામૈયું કર્યું હતું અને દુલ્હન બનીને આવેલી દીકરીના ઘરમાં કંકુ પગલાં પાડ્યા હતાં. આ પછી રવિરાજસિંહ પોતાની પત્ની પાસે જાય તે અગાઉ તેના કેટલાક મિત્રો તેની પાસે આવ્યા અને તેને નાસ્તો કરવાના બહાને ઘરની બહાર લઇ ગયા હતા. રવિરાજસિંહ સહિતના પાંચ મિત્રો સ્કોર્પિયો કાર લઇને વાલાસણથી પાનેલી ગામે નાસ્તો કરવા જઇ રહ્યા ત્યારે કાર રેલવે ફાટક પાસે જ પલટી જતા વરરાજા રવિવારજસિંહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.


Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

કાર પલટી જતા વરરાજાનું મોત

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર ધર્મરાજસિંહ જાડેજા ચલાવી રહ્યાં હતાં અને વાલાસણ-પાનેલી વચ્ચે ફાટક પાસે કારની વચ્ચે ભૂંડ આવી જતા કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.


Rajkot: સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો! લગ્ન બાદ પત્ની પાસે જાય તે અગાઉ વરરાજાનું થયું મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

અકસ્માતમાં કારમાં સવાર ફક્ત રવિરાજસિંહને જ ગંભીર ઇજાઓ પહોંચી હતી પરંતુ કારમાં સવાર અન્ય ચારને કાંઇ થયું જ નહોતું. નોંધનીય છે કે રવિરાજસિંહના પિતા હરદેવસિંહ વાળા એસઆરપી ગ્રુપ-13માં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હતાં અને તાજેતરમાં જ તેઓ નિવૃત્ત થયા હતાં. ગત બુધવારે બપોરે રવિરાજસિંહ વાલાસણ ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget