શોધખોળ કરો

Rajkot : ખોડલધામના નરેશ પટેલ અને PAASના આગેવાન વચ્ચે બંધ બારણે બેઠક, શું છે મુદ્દો?

ખોડલ ધામ મંદિર ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચે બેઠક શરૂ થઈ છે. બંધ બારણે બેઠક ચાલી રહી છે. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાને લઈને ચર્ચા થશે.

રાજકોટ: ખોડલ ધામ મંદિર ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચે બેઠક શરૂ થઈ છે. બંધ બારણે બેઠક ચાલી રહી છે. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાને લઈને ચર્ચા થશે. નરેશ પટેલ અને પાસ આગેવાન અલ્પેશ કથીરિયા  સહિતના આગેવાનો વચ્ચે બેઠક ચાલી રહી છે.  અલ્પેશ કાથીરિયા, દિનેશ બાંભણીયા,ધાર્મિક મલાવીયા ખોડલધામ ખાતે હાજર છે. આજની બેઠકમાં પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા મહત્વની ચર્ચા થશે.

પાટીદાર આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે. 23મી માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં થાય તો હાર્દિક આંદોલન કરશે. પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે. પાટીદારો વિરુદ્ધના કેસ પાછા ખેંચવાનું 23 માર્ચ સુધી હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

હાર્દિકે કહ્યું કે, મારા સિવાયના તમામ કેસ પરત ખેંચ તેવી મારી વિનંત છે. જેમના પર કેસ થયા છે, તે સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા. આંદોલનથી ગુજરાતના તમામ વર્ગના લોકોને લાભલ મળ્યા. પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા નરેશ પટેલ પણ રજૂઆત કરી ચૂક્યા છે. આંદોલન સમયના કેસ પરત ખેંચવા પાટીદાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે. હજુ પણ રાજ્યથી ચારથી પાંચ હજાર પાટીદારો સામે કેસ પાછા ખેંચાયા નથી. 

મુખ્યમંત્રી અને સીઆર પાટીલે વચન આપ્યા બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆત બાદ પણ કેસ પરત ખેંચાયા નથી. સાસંદ રમેશ ધડૂકે પણ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરે છે. મારી સામે દ્વેશભાવ હોય તો કેસ પરત ન ખેંચો, પરંતુ અન્ય સામેને કેસ પાછા ખેંચો. 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસ પરત નહીં ખેચાય તો અમે આંદોલન કરીશું. 

કોગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સરકાર અને રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ચૂંટણી આવી રહીં છે, ભાજપના નારાજ નેતાઓ પણ કોંગ્રેસમાં આવશે. ઘણા ભાજપના પૂર્વ મંત્રીઓ નારાજ છે. તાજેતરમાં જ કોગ્રેસ છોડનારા જયરાજસિંહને લઇને હાર્દિકે કહ્યું કે જયરાજસિંહ પાર્ટીના ખૂબ  જ સારા પ્રવક્તા હતા. રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે. જયરાજસિંહના પક્ષ છોડવા પર મારે કંઇ કહેવુ નથી. વિપક્ષમાં રહીને કોઇ પણની અપેક્ષા પૂરી કરવી ખૂબ જ અઘરી છે. કોગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે 10 ઇંચ વરસાદ , 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
AAJ No Muddo : સનાતનથી ઉપર સંપ્રદાય કેમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
shravan 2025: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
WCL 2025: એબી ડિવિલિયર્સે WCLમાં મચાવ્યો તરખાટ, ફક્ત 41 બોલમાં ફટકારી તોફાની સદી
WCL 2025: એબી ડિવિલિયર્સે WCLમાં મચાવ્યો તરખાટ, ફક્ત 41 બોલમાં ફટકારી તોફાની સદી
ચિકનગુનિયાની ઝપેટમાં આવી શકે છે દુનિયાના પાંચ અબજ લોગ, WHOની ચેતવણી
ચિકનગુનિયાની ઝપેટમાં આવી શકે છે દુનિયાના પાંચ અબજ લોગ, WHOની ચેતવણી
Embed widget