શોધખોળ કરો

Rajkot: બજરંગ દળના અગ્રણી હરેશભાઇ ચૌહાણનું નિધન, વૉકલ કેન્સરથી હતા પીડિત

હરેશભાઈ ચૌહાણ રાજકોટ બજરંગ દળના અગ્રણી કાર્યકર હતા અને છેલ્લા કેટલાય સમયથી તેઓ સતત કામ કરી રહ્યાં હતા.

Rajkot: રાજકોટના બજરંગ દળના અગ્રણી હરેશભાઇ ચૌહાણનું નિધન થયુ છે. છેલ્લા કેટલાય સમયથી વૉકલ કેન્સરથી પીડાઇ રહેલા હરેશભાઇ ચૌહાણએ 47 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે, હરેશભાઇ ચૌહાણ વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને બાદમાં બજરંગ દાળના અગ્રણી હતા. હરેશભાઇના નિધનની સાથે જ હિન્દુવાદી સંગઠનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. 

હરેશભાઈ ચૌહાણ રાજકોટ બજરંગ દળના અગ્રણી કાર્યકર હતા અને છેલ્લા કેટલાય સમયથી તેઓ સતત કામ કરી રહ્યાં હતા. તેઓ અનેક મોરચા પર બજરંગ દળમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે. એટલુ જ નહીં હરેશભાઈ ચૌહાણ રાજકોટના રેસકોર્સમાં વર્ષો સુધી રાવણ દહનનું પણ ભવ્ય આયોજન કરતા હતા. રાજકોટ શહેરમાં જન્માષ્ટમી, રામનવમી અને હિન્દુ પર્વમાં અનેકવાર શોભાયાત્રાનું પણ આયોજન કરી ચૂક્યા છે. હરેશભાઈ ચૌહાણના નિધનની સાથે જ હિન્દુવાદી સંગઠનોમાં અને બજરંગ દળ, તેમજ વિહીપના કાર્યકરોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. હરેશભાઈ ચૌહાણને સંગઠન તરફથી બુઢા અમરનાથ પ્રવાસમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતી હતી.

 

Protest: વિરોધ પ્રદર્શન વચ્ચે બજરંગ પૂનિયાનું વિવાદિત ટ્વીટ, લખ્યું - 'હું બજરંગી છું ને.......' બાદમાં કરી દીધુ ડિલીટ

Bajrang Punia News: દેશની રાજધાની દિલ્હીના જંતરમંતર પર છેલ્લા કેટલાય દિવસોથી દેશના કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કુસ્તીબાજોનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે. આ રેસલરોમાં રેસલર બજરંગ પૂનિયા પણ સામેલ છે. હવે આ વિવાદની વચ્ચે કર્ણાટકમાં ઉદભવેલા બજરંગ દળના વિવાદને લઇને એક પૉસ્ટ કરી છે, જે પૉસ્ટ વાયરલ થઇ હતી અને બાદમાં થોડાક જ સમયમાં તેને ડિલીટ કરી દીધી હતી. જાણો બજરંગ પૂનિયાએ આ પૉસ્ટમાં શું લખ્યુ હતુ. 

ખરેખરમાં, બજરંગ પૂનિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિન્દુ સંગઠન બજરંગ દળના સમર્થનમાં એક ઇન્સ્ટા સ્ટૉરી શેર કરી હતી. આમાં તેને એક તસવીર મુકી હતી, જેમાં લખ્યું હતું કે, "હું બજરંગી છું અને બજરંગ દળને સમર્થન આપું છું." આ તસવીરના કેપ્શનમાં લોકોને તેને વોટ્સએપ સ્ટેટસ અને ડીપી પર લગાવવાની પણ અપીલ કરી હતી. 

પૉસ્ટ કેમ કરી ડિલીટ ?
ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સના એક વર્ગ દ્વારા બજરંગ પૂનિયાને તેની પૉસ્ટને લઇને ખુબ ખરીખોટી સાંભળવા મળી હતી. આ પછી જ તેને તરત જ પોતાની પૉસ્ટને ડિલીટ કરી દીધી હતી. તેની પૉસ્ટ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાનું વચન આપ્યું છે.

બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતના કેટલાય મોટા ગજાના કુસ્તીબાજો જાતીય સતામણીના આરોપોને લઈને વૃજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની સાથે ખાપ પંચાયતના નેતાઓએ ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ પણ આપી દીધુ છે.

આ પહેલા જાન્યુઆરીમાં થયો હતો વિરોધ - 
તેઓએ ફેડરેશનના ચીફની ધરપકડ કરવાની માંગ કરી છે, જેમના પર POCSO એક્ટ હેઠળ એક સહિત બે FIR નોંધવામાં આવી છે. ટોચના કુસ્તીબાજોએ આ અગાઉ જાન્યુઆરીમાં WFI ચીફ સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. હવે 23 એપ્રિલથી ફરી એકવાર કુસ્તીબાજો ધરણાં પર બેઠા છે. આ માટે તેમને તમામ લોકો પાસેથી સમર્થન માંગ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget