શોધખોળ કરો

Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું

રાજકોટ RTO દ્વારા 10 કેટલી સ્કૂલ વાન અટકાવી નિયમ વિરુદ્ધ વિદ્યાર્થી બેસાડતા કાર્યવાહી કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા સવારથી શાળામાં ચેકીંગ શરૂ કર્યું.

રાજકોટઃ રાજકોટની શાળાના 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં કલેકટરે શિક્ષણ વિભાગ અને RTOને દોડતું કર્યું છે. રાજકોટ RTO દ્વારા 10 કેટલી સ્કૂલ વાન અટકાવી નિયમ વિરુદ્ધ વિદ્યાર્થી બેસાડતા કાર્યવાહી કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા સવારથી શાળામાં ચેકીંગ શરૂ કર્યું. શાળામાં કોવિડ નિયમના પાલનને લઈ અલગ અલગ અધિકારીઓ દ્વારા શાળામાં ચેકીંગ શરૂ કર્યું. DEO દ્વારા 6 ટિમો બનાવી શાળામાં ચેકીંગ શરૂ કર્યું.

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, રાજકોટમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં ત્રણ, વડોદરામાં બે, મહેસાણામાં એક, આણંદમાં એક, સુરતમાં ત્રણ, અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાયા છે.

 

અમદાવાદમાં દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તાન્ઝાનિયાથી મેડિકલની સારવાર માટે આવેલ દંપત્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયું હતું.  આ સાથે અમદાવાદમાં આજે ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય આજે રાજકોટમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. બે દિવસ પહેલા તાન્ઝાનિયાથી રાજકોટ આવેલ વિદ્યાર્થીને ઓમિક્રોન સંક્રમિત થયો હતો. ઓમિક્રોન સંક્રમિત વિદ્યાર્થીને પીડીયુ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો.

 

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 51  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 55 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં ત્રણ, નવસારીમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, રાજકોટમાં બે, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, મહેસાણામાં એક, વલસાડમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 571  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 567 નાગરિકો સ્ટેબલ છે. 8,17,874  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Advertisement

વિડિઓઝ

Ahmedabad Accident : અમદાવાદમાં ટિપ્પરવાને સર્જ્યો અકસ્માત, મહિલાનું મોત
Ghana helicopter crash : ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત 8ના મોત, જુઓ અહેવાલ
Rahul Gandhi on US Tariff : અમેરિકાના ટેરિફ પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
US Tariff On India : આજથી ભારત પર અમેરિકાનો 25 ટકાર ટેરિફ લાગુ, વધુ 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત
US Tariff On India : અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો પલટવાર, નામ લીધા વગર ટ્રમ્પને આપ્યો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
Ahmedabad: જાણો ક્યાંક તમારુ મકાન તો નથી ને કપાતમાં, અમદાવાદ કોર્પોરેશન તોડી પાડશે 8767 મકાનો
ભારતના આ 5 શહેરોમાં મળે છે સૌથી સસ્તી કાર, જાણો કેવી રીતે તમને થશે હજારો રુપિયાનો ફાયદો
ભારતના આ 5 શહેરોમાં મળે છે સૌથી સસ્તી કાર, જાણો કેવી રીતે તમને થશે હજારો રુપિયાનો ફાયદો
પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
Raksha Bandhan 2025:  રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર ના કરો આ પાંચ ભૂલો, માનવામાં આવે છે અશુભ
રેલવેની મુસાફરોને મોટી ભેટ, ટ્રેન રવાના થાય તેના 15 મિનિટ અગાઉ બુક થશે ટિકિટ
રેલવેની મુસાફરોને મોટી ભેટ, ટ્રેન રવાના થાય તેના 15 મિનિટ અગાઉ બુક થશે ટિકિટ
Embed widget