શોધખોળ કરો

Rajkot: રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા પતિ- પત્નીનું મોત

જેતપુરમાં વીજ કરંટ લાગતા પતિ પત્નીનું મોત થયું હતું

જેતપુરઃ જેતપુરમાં વીજ કરંટ લાગતા પતિ પત્નીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત થયું હતું. વરસાદના કારણે ઘરે લોખંડની સીડીમાં વીજ કરંટ લાગતા પતિ-પત્નીનું મોત થયું હતું. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમીનભાઇ હાસમભાઇ તરખેસા અને  રોશનબેન અમીનભાઇ તરખેસાનું વીજ કરંટ લાગતા મોત થયું હતું.
જેતપુર સીટી પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી.

અન્ય એક ઘટનામાં ભાવનગર શહેરના બોર તળાવ બોટહાઉસ પાસે યુવક અને યુવતી પર વીજળી પડી હતી. એન.સી.સી ઓફિસ પાસે બનેલી આ ઘટનામાં યુવકનું વીજળી પડવાથી ઘટના સ્થળ પર મોત થયું જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે દાઝી જતા 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કચ્છના ભુજના લાખોદમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે. ઝાડ નીચે ઉભેલા એક વ્યક્તિનું વીજળી પડવાથી મોત થયું હતુ.

Gujarat Weather Update: રાજ્યના 36 તાલુકામાં વરસાદ, ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાતથી જ વરસાદ શરુ થયો હતો. તો બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારના બે કલાકમાં ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કોટડા સાંગાણી અને જામકંડોરણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.

સવારના બે કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં કોડીનાર, માંગરોળ, કેશોદ અને મેંદરરડામાં અડધો-અડધો ઇંચ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો હતો. ગોંડલ યાર્ડમાં મરચાની ભારી મોટા પ્રમાણમાં પલળી ગઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર મરચાનો પાક પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક બાજુ મરચાના ભાવ આસમાને તો બીજી બાજુ સતત બીજી વખત મરચાનો પાક માર્કેટિંગ યાર્ડમાં પલળ્યો છે. મરચાની સાથે ડુંગળીનો પાક પણ પલળ્યો છે.

ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget