શોધખોળ કરો

Rajkot : જન આશીર્વાદ લેવા નીકળેલા જીતુ વાઘાણીને પેટ્રોલના ભાવનો સવાલ પૂછાતા ચાલતી પકડી

આજે શિક્ષણ મંત્રી જીતુ વાધાણીની જન આશીર્વાદ યાત્રા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઇ વાઘાણીને પૂછતાં વાઘાણી ચાલતી પકડી હતી.

રાજકોટઃ આજે શિક્ષણ મંત્રી જીતુ વાધાણીની જન આશીર્વાદ યાત્રા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. આજે સવારે 9/30માધાપર ચોકડી થી આ જન આશીર્વાદ યાત્રાનો  પ્રારંભ થયો હતો.રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ CM વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા ફરી હતી. આ સમયે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, જનતાના આશીર્વાદ અમને મળતો રહશે.2022 માં પણ અમને આશિર્વાદ મળશે. યાત્રામાં સાંસદ મોહનભાઇ કુડારિયા, રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઇ વાઘાણીને પૂછતાં વાઘાણી ચાલતી પકડી હતી. ઉલ્લેખનિય છે કે જીતુભાઈ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે ખાસ અધિકારીની નિમણૂક કરાશે. આ અધિકારી માત્ર રાજકોટના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતા ધીમે ધીમે છૂટછાટ વધારવામાં આવી રહી છે. આ સાથે સ્કૂલો પણ એક પછી એક ખોલવામાં આવી રહી છે. ત્યારે ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે સ્કૂલ ફી અને ધોરણ 1થી 5ની સ્કૂલો ખોલવા મુદ્દે નિવેદન આપ્યું હતું. સૂત્રોના મતે દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે.

રાજકોટ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે. જોકે, ફીના મુદ્દે શિક્ષણ મંત્રી અજાણ હોવાના દ્રશ્યો ઉભા થયા હતા. એબીપી અસ્મિતા વાઘાણી પૂછ્યું ફી નું માળખું ક્યારે જાહેર કરશો. વાઘાણી કહ્યું તમે અજાણ છો. જાહેર થઈ ગયું છે. બાદમાં કહ્યું વિભાગ સાથે ચર્ચા કરીને કરીશું. રાજ્યના શિક્ષણ મંત્રી ફી ના માળખા વિશે અજાણ.

ગુજરાતના આ જિલ્લામાં એક-બે પુત્રી ધરાવતા દંપતિને અપાયાં પિંક કાર્ડ, જાણો શું મળશે મોટો સરકારી લાભ ?

જૂનાગઢઃ નવરાત્રિના નવરાત્રિના પ્રથમ દિવસે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓને પિન્ક કાર્ડની અનોખી ભેટ આપવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એકશન પ્લાન ગુડ ગવર્નન્સ અંતર્ગત જૂનાગઢ પ્રાંતમાં જિલ્લા કલેકટર રચિત રાજ અને એસડીએમ અંકિત પન્નુએ પિન્ક કાર્ડ યોજનાનું ઉદઘાટન કરી લાભાર્થીઓને પિન્ક કાર્ડનું વિતરણ કર્યું હતું. જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરાયા છે. બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા આ કાર્ડ ઇશ્યુ કરાયા છે. આ યોજના અંતર્ગત જે દંપત્તિ 1 અથવા 2 દીકરી ધરાવે છે તેને આ કાર્ડનો ફાયદો મળશે.

પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઇપણ જાતની કામગીરી માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે. આવા કાર્ડ ધારકને સરકારી કામગીરીમાં પ્રાયોરિટી અપાશે. ગમે તેટલી લાંબી લાઇન હોય પિન્ક કાર્ડ ધારકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે લાઇનમાં ઉભવાથી મુક્તિ મળશે. દરમિયાન હાલ જૂનાગઢ તાલુકામાં પિન્ક કાર્ડ લોન્ચ કરાયા છે જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં 1,618 અને શહેરમાં 1,000 લાભાર્થીઓ માટે કાર્ડ ઇશ્યુ કરાશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક મા બાપ કે જે માત્ર દીકરી ધરાવે છે તે પોતાની દીકરી પ્રત્યે સ્વાભિમાન ધરાવે. પિન્ક કાર્ડની કામગીરી હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્ય માટે જ કરાશે. આ એક પ્રયોગ છે. આ પ્રાયોગિક કામગીરીની સમિક્ષા કરાશે બાદમાં આ કામગીરી સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ બનાવાયું છે. આ કાર્ડમાં પરિવારનાં સભ્યોનું નામ હશે. તેમજ કુટુંબનાં વડા, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. તેમજ કાર્ડમાં મામલતદારની સહી પણ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Embed widget