શોધખોળ કરો

Rajkot: રામાપીર ચોકડી પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાએ શું આપ્યું નિવેદન ?

Rajkot News: ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ બાબતે હું પોલીસ કમિશનર સાથે વાતચીત કરીશ. હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએ.

Rajkot News:  રાજકોટ રામાપીર ચોકડીનો પુલ પાસે તાજેતરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે લકઝરી કારે યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે હજુ સુધી કારચાલક પકડાયો નથી. આ ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ બાબતે હું પોલીસ કમિશનર સાથે વાતચીત કરીશ. હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએ. થોડા સમય પહેલા મહાનગરપાલિકાની બેદરકારીમાં એક રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું ત્યારે પણ મેં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરી અને તટસ્થ તપાસની માંગ કરી હતી.

પરેશ ડોડીયાની માલિકીની મર્સિડીઝ કારની ઠોકરે મયુર તન્ના નામના યુવાનનું મોત થયું હતું. કાર માલિક પરેશ ડોડીયા અને તેના ભત્રીજાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કાર માલિકે પોલીસ નિવેદનમાં કાર ભત્રીજો લઈને ગયો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે કાર માલિક પરેશ ડોડીયાના ભત્રીજાની પૂછપરછ કરતા, એક્સિડન્ટ કરનાર મર્સિડિઝ કાર પરેશ ડોડીયાનો ડ્રાઈવર ભોલો લઈને ગયો હોવાનું અને તેનાથી અકસ્માત થયો હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ દ્વારા કાર ખરેખર કોણ ચલાવતું હતું તેની તપાસ માટે ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે.  ઘટનાને 48 કલાક છતા હજુ એક પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે મૃતકના પરિવરજનોએ ગઈકાલે ન્યાય માટે મીડિયા સમક્ષ પોકાર કર્યો હતો.

રાજકોટ મનપામાં આગામી 19 જૂને યોજાશે શિક્ષણ સમિતિની ચૂંટણી

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર છે. આગામી 19 જૂને શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ અંગે મનપાએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. આગામી 19મી જૂને રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે, આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખાસ વાત છે કે, ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ સહિતના નામો મોખરે છે. અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Embed widget