શોધખોળ કરો

Rajkot News: માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત

રાજકોટ જિલ્લામાંથી વધુ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત થયુ છે

Rajkot News: રાજકોટ જિલ્લામાંથી વધુ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત થયુ છે. ખરેખરમાં આ કિસ્સો માતાપિતા માટે લાલબત્તી સમાન છે, બેદરકારીથી એક બાળકીનું મોત થયું છે. રાજકોટના નીવ સેદાણી ગામમાં આજે વહેલી સવારે એક ઘરે રમતી દોઢ વર્ષની બાળકી અચાનક પાણી ભરેલી ડોલમાં પડી ગઇ હતી, જે પછી બાળકીને સારવાર માટે પહેલા ખાનગી અને બાદમાં સરકારી હૉસ્પીટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

રાજ્યમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, મોરબીમાં શિક્ષક તો સુરતમાં સિક્યુરિટી ગાર્ડનું મોત

ગુજરાતમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. હૃદયરોગના નિષ્ણાતો (Heart Specialist) કહે છે કે પ્રદૂષણથી હૃદયના સ્વાસ્થ્ય પર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને આડઅસરો થઈ શકે છે. હવામાં રહેલા PM 2.5 ના સૂક્ષ્મ કણો ફેફસાં અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. આ માત્ર બળતરાના જોખમનું કારણ નથી પરંતુ ગંભીર પરિસ્થિતિઓમાં, તે હૃદય રોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક, ફેફસાની સમસ્યાઓના વિકાસ તરફ દોરી શકે છે. નાઈટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા કોઈપણ પ્રકારના રજકણોના સંપર્કમાં આવવાથી સમય જતાં ક્રોનિક રોગો થવાનું જોખમ વધે છે.

Heart.org અહેવાલ આપે છે કે હવાના પ્રદૂષકોના હળવા સ્તરના સંપર્કમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધે છે. એટલું જ નહીં, એક કલાક પણ પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી આ જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષકોના કોઈપણ સ્તરના સંપર્કમાં આવવાથી ક્રોનિક કોરોનરી સિન્ડ્રોમ થઈ શકે છે. આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે જે હૃદયના સ્નાયુમાં રક્ત પુરવઠાને અવરોધે છે.

દરેક વ્યક્તિએ વાયુ પ્રદૂષણની પ્રતિકૂળ કાર્ડિયોવેસ્ક્યુલર અસરો અંગે વિશેષ સાવચેતી રાખવાનું ચાલુ રાખવું જોઈએ, તેમ શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીના સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર હૈડોંગ કાન કહે છે. અભ્યાસમાં દસ્તાવેજીકૃત થયેલ હવાના પ્રદૂષકો (જેમ કે રજકણ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ) ની કોઈપણ સાંદ્રતાના સંપર્કમાં હૃદયરોગના હુમલાના જોખમમાં નોંધપાત્ર વધારો થાય છે.

સૂક્ષ્મ કણોના સંપર્કમાં હૃદયરોગ, સ્ટ્રોક અને અન્ય આરોગ્ય સમસ્યાઓ તેમજ વિશ્વભરમાં 4.2 મિલિયન અકાળ મૃત્યુ સાથે સંકળાયેલ છે. આનાથી બચાવવા માટે સતત પ્રયત્નો જરૂરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget