શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં RTOની તવાઇ, વેરો ના ભરનારા 600 વાહન માલિકોને નૉટિસ, 18 કરોડથી વધુનો વેરો બાકી

રાજકોટમાં આરટીઓ વિભાગ એક્શનમાં આવ્યુ છે, જિલ્લામાં ખાસ કરીને રાજકોટમાં વાહન ટેક્ષ ના ભરનારાઓ પર તવાઇ શરૂ કરી છે

Rajkot News: રાજકોટમાં આરટીઓ વિભાગ એક્શનમાં આવ્યુ છે, જિલ્લામાં ખાસ કરીને રાજકોટમાં વાહન ટેક્ષ ના ભરનારાઓ પર તવાઇ શરૂ કરી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં 600થી વધુ વાહનધારકોને આરટીઓ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે શહેરમાં કેટલાય વાહન ચાલકો એવા છે જેઓએ વાહન વેરો નથી ભર્યો આવા વાહન માલિકો પર હવે આરટીઓની તવાઇ શરૂ થઇ છે. શહેરમાં આરટીઓ વિભાગે વેરો વસૂલ કરવા માટે 600 વાહન ધારકોને નોટિસ ફટકારી છે, જેમાં ૧૮.૮૩ કરોડથી વધુનો વાહન વેરો બાકી બોલી રહ્યો છે. આમાં શૈક્ષણિક બસને 7 નોટિસ ઇસ્યૂ કરાઇ છે, અને ટેક્સીઓને 105 નૉટિસ ફટકારવામાં આવી છે. વેરો ના ભરવાના લિસ્ટમાં સૌથી વધુ બસો છે, જેમની પાસેથી ભારે ભરખમ વેરો વસૂલવાનો બાકી છે.

રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં

વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ સ્ટેશનના 4 કિલો મીટર પહેલા પથ્થરમારો કર્યો હતો. C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા હતા. કોઈ મોટું નુકસાન નથી, કોઈને ઇજા પણ પહોંચી નથી.ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવીએ છીએ. ટીમો તપાસ કરે છે, પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનમાં એસ્કોર્ટ પણ હોય છે. જેના દ્વારા પણ તપાસ કરી હતી. બીલેશ્વર આસપાસના લોકોની અને મુસાફરોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ આવી રીતે પથ્થરો મારવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

વંદે ભારત ટ્રેન પર આ પહેલા પણ પથ્થરમારાની અનેક ઘટના ઘટી છે. (18-19 જૂન) દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું.  ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ સાતમી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી.જાન્યુઆરી 2023માં RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તૂટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે, જેમાં 80 ટકા ઉત્પાદનો સ્વદેશી છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
Embed widget