શોધખોળ કરો

Rajkot: પ્રોફેસર પુત્ર માતાને અગાસી પર લઈ ગયો ને ધક્કો મારીને કરી દીધી હત્યા, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

જામનગરમાં એજયુકેશન ઈન્સ્પેકટર તરીકે નિવૃત થયેલા જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હતી. એક પુત્રી રાજકોટ પરણાવેલી હતી. પુત્ર સંદિપ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પત્ની અને પુત્રી સાથે રહેતો હતો

રાજકોટઃ રાજકોટમાં સગી માતાને પોતાના એપાર્ટમેન્ટની અગાસી પરથી લઈ જઈ નીચે ધક્કો મારી ઠંડે કલેજે હત્યા કરનારા આરોપી પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદભાઈ નથવાણીને એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.એન.દવેએ આજીવન કારાવાસની સજા ફટકારી છે. ઓપરેશન કરાવવાને કારણે પથારીવશ વૃધ્ધ માતા બોજારૂપ લાગતાં સગા પુત્રે માતાની હત્યા કરી નાંખી હતી.  

આ કેસની વિગત એવી છે કે, જામનગરમાં એજયુકેશન ઈન્સ્પેકટર તરીકે નિવૃત થયેલા જયશ્રીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હતી. એક પુત્રી રાજકોટ પરણાવેલી હતી. પુત્ર સંદિપ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર નાણાંવટી ચોક પાસે દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પત્ની અને પુત્રી સાથે રહેતો હતો અને પ્રોફેસર તરીકે નોકરી કરતો હતી. જયશ્રીબેનને બ્રેઈન હેમરેજ થતાં સારવાર માટે જામનગરથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. 

રાજકોટમાં તેમનું ઓપરેશન થયા બાદ રીકવરીમાં લાંબો સમય લાગશે તેમ ડોક્ટરોએ કહ્યું હતું. જયશ્રીબેનને પુત્ર સંદિપ પોતાના ફલેટમાં રહેવા લઈ ગયો હતો. જયશ્રીબેનની મોટી પુત્રી પણ તેમની સેવા કરતી હતી. જો કે તેઓ કોઈના ટેકા વગર ચાલી કે કોઈ કામ કરી શકતા ન હતા. મગજની સ્થિતિ પણ સારી ન હોવાથી સ્વભાવ ચિડીયો થઈ ગયો હતો. આ કારણે પુત્ર સંદિપ કંટાળી ગયો હતો અને તેણે માતાની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. 

આ યોજના અંતર્ગત તે 27 સપ્ટેમ્બર, 2017ના રોજ માતા જયશ્રીબેનને આગળ રાખી પાછળથી પોતાનો શરીરનો ટેકો આપી ધકકા મારી અગાસી સુધી લઈ ગયો હતો. એક માળ ચડયા બાદ થાકી જતાં એપાર્ટમેન્ટમાં રહેતા પિતા-પુત્રને મદદ માટે બોલાવી માતા જયશ્રીબેનને અગાસીએ લઈ જઈ ખુરસી  પર બેસાડી દીધા હતા. ત્યાર બાદ તેણે ચોથા માળેથી નીચે ફેંકી ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. 

ઘટનાના ત્રણેક માસ બાદ સીસીટીવી ફુટેજના આધારે આ હત્યાનો રહસ્યફોટ થયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી સંદીપની ધરપકડ કરી ચાર્જશીટ રજુ કરી હતી.  આ કેસ ચાલી જતા બન્ને પક્ષોની દલીલો, રજુઆતો ધ્યાને લઈ, પુરાવા તપાસી અદાલતે આરોપી  પુત્ર સંદિપને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget