શોધખોળ કરો

Rajkot Game Zone Tragedy: ACBની કાર્યવાહીથી સાગઠીયાના 3 એજન્ટ થયા ગુમ, ઓફિસને લાગ્યા તાળા

એસીબી દ્વારા આક્ષેપિતોના નિવાસ સ્થાનેથી તેમજ રહેણાંક મકાન ખાતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. એસીબી ટુંક સમયમાં ધારી સફળતા મેળવશે.

Rajkot TRP Game Zone Tragedy: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની આંચ સરકારી બાબુઓ સુધી પણ પહોંચી છે. રાજયભરને હચમચાવનાર આ અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી સિટે રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી  ઉપરાંત  ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત ચારની ધરપકડ કરી હતી.  જેની સાથે જ આ અગ્નિકાંડમાં આરોપીઓની ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે.

સાગઠીયાનાના બે નિવાસસ્થાનો અને બે ઓફિસો પર એ.સી.બી. તપાસ કરવા પહોંચી હતી. સાગઠીયાના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના નિવાસસ્થાનની નજીક તેમનું નિવાસસ્થાન આવેલું છે. આ સ્થળે એ.સી.બી. પહોંચી હતી અને લોકોએ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી.

ACBની કાર્યવાહીથી TPO એમ ડી સાગઠીયાના 3 એજન્ટ ગુમ

એસીબીની તપાસથી સાગઠીયાના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ACBની કાર્યવાહીથી TPO એમ ડી સાગઠીયાના 3 એંજન્ટ ગુમ થયા હતા. રાજકોટમાં TPO સાગઠીયાને નૈવેધ ચડાવવા 3 સહાયક હતા. એક એજન્ટ પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાની માહિતી છે. તમામ 3 એજન્ટ TPO સાગઠીયાના આશીર્વાદથી કરોડોના આસામી બન્યા હતા.

સાગઠીયાની ઓફિસે તાળા લાગી ગયા

રાજકોટના TPO મનસુખ સાગઠીયાની ઓફિસે તાળા લાગી ગયા હતા. ગુરુવારે રાત્રે ACB એ સાગઠીયાની ઓફિસમાં રેઇડ કરી હતી અને ઘણા મહત્વના દસ્તાવેજ ACBએ સગઠિયની ઓફિસેથી કબ્જે કર્યા હતા. ઉપરાંત ટાઉન પ્લાનિંગની અનેક ફાઈલ ACBએ કબ્જે કરી હતી. વહીવટદારોનું લિસ્ટ અને બિલ્ડરોની ફાઈલ કબ્જે કરાઈ હતી.

રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ ACB ઓફિસે પહોંચી રજૂઆત કરી

રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ ACB ઓફિસે પહોંચી હતી. RMC ના અધિકારીઓ વિરુદ્ધ કડક પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસે માંગ કરી હતી. લાંબા સમયથી RMCના તત્કાલીન TPO એમ.ડી. સાગઠીયા લાંચ લેતા હતા. વિવિધ માંગણી સાથે કોંગ્રેસની ટીમ ACB ઓફિસે પહોંચી હતી. ગઈકાલે એમ.ડી. સાગઠીયાની RMC ચેમ્બરમાં ACB એ દરોડા  પાડ્યા હતા. આ સાથે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર અને નાયબ ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા ના ચેમ્બરમાં પણ દરોડા પાડ્યા હતા.

એસીબીને ટૂંક સમયમાં મળશે મોટી સફળતા

એસીબી મદદનીશ નિયામક કે.એચ.ગોહિલએ નિવેદન આપતાં જણાવ્યું, એસીબી દ્વારા હાલ અનેક આક્ષેપિતોના નિવાસ સ્થાને તેમજ ઓફિસ ખાતે તપાસ કરવામાં આવી રહી છે.  એસીબી દ્વારા આક્ષેપિતોના નિવાસ સ્થાનેથી તેમજ રહેણાંક મકાન ખાતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. એસીબી ટુંક સમયમાં ધારી સફળતા મેળવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget