શોધખોળ કરો

Rupala Controversy: સૌરાષ્ટ્ર SPG આવ્યું રૂપાલાના સમર્થનમાં, કહ્યુ- ટિકિટ રદ્દ ન થાય તેવા પ્રયાસો કરાશે

Rupala Controversy:હવે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક યોજાશે. આજે સાંજે પાટીદારો રાજકોટમાં ચિંતન બેઠક કરશે

Rupala Controversy: ક્ષત્રિય સમાજ અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. હવે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક યોજાશે. આજે સાંજે પાટીદારો રાજકોટમાં ચિંતન બેઠક કરશે. કડવા અને લેઉવા પાટીદારોની આજે સંયુક્ત બેઠક યોજાશે. રાજકીય લાભ ખાટવા વિરોધ પ્રદર્શનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર એસપીજી રૂપાલાના સમર્થનમાં

સૌરાષ્ટ્ર એસપીજી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર SPGના અધ્યક્ષ કલ્પેશ ટાંકે સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમર્થન આપ્યું હતું. માફી બાદ પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરતા SPG સમર્થનમાં આવ્યું  હતું. સૌરાષ્ટ્ર SPGના અધ્યક્ષ કલ્પેશ ટાંકે કહ્યું કે ક્ષત્રિય સમાજે હવે માફી આપવી જોઈએ. રૂપાલાને તમામ રીતે સહયોગ આપીશું. ટિકિટ રદ્દ ન થાય તેવા પ્રયાસો કરાશે.

રૂપાલાએ બે વાર માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ વિરોધ કરતા SPG સમર્થનમાં આવ્યું હતું. એસપીજી ગ્રુપે કહ્યું કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરસોતમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરસોતમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી SPG મદદ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરશે.

લલિત વસોયાએ શું કહ્યુ?

આ મામલે રાજકોટ પાટીદાર આગેવાન લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું. તેમણે ફેસબુક પર વીડિયો શેર કરી જણાવ્યું હતું કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહી પરંતુ રૂપાલા સામે લડી રહ્યા છે. કેટલાક લોકો બને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પૈદા થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે.

નોંધનીય છે કે રાજકોટ લોકસભા બેઠકથી પરશોત્તમ રૂપાલાને બદલવાની માંગને લઈને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો એકજૂથ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ સાથેની બેઠકમાં પણ આ જ મુદ્દે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અડગ રહી હતી. એટલું જ નહીં રૂપાલાને રાજકોટ જ નહીં પરંતુ કોઈપણ બેઠકથી ભાજપ ચૂંટણી લડાવશે તો તેના વિરોધની પણ જાહેરાત સંકલન સમિતિના તમામ નેતાઓએ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી સાથે કોઈપણ પ્રકારનો વાંધો ન હોવાનો અને માત્રને માત્ર રૂપાલાની ઉમેદવારીથી જ તકલીફ હોવાનો ક્ષત્રિય સમાજનો મત છે. ક્ષત્રિય સમાજે વ્યક્ત કરેલી લાગણી સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેલા ભૂપેન્દ્રસિંહ સહિતના નેતાઓએ પ્રદેશ ભાજપ સુધી પહોંચાડી છે. એટલું જ નહીં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ પણ માફી માંગી ચૂક્યા છે. આ સંજોગોમાં રૂપાલા મુદ્દે ભાજપ પક્ષ હવે શું નિર્ણય કરશે તેના પર તમામની નજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Embed widget