શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ગામમાં કોરોનાનો હાહાકારઃ 37 દિવસમાં 45 લોકોના મોત, કયા જાણીતા ઉદ્યોગપતિનું પણ થયું મોત?

રાજકોટ જિલ્લાના સરધારમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામની વસ્તી 10 હજાર છે. 37 દિવસમાં 45 લોકોના મૃત્યુ થયા છે. યોગ્ય સારવારના અભાવે લોકોના મોત થયા છે. 

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજકોટ જિલ્લાના સરધારમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામની વસ્તી 10 હજાર છે. 37 દિવસમાં 45 લોકોના મૃત્યુ થયા છે. યોગ્ય સારવારના અભાવે લોકોના મોત થયા છે. 

સરધારના વતની અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને ભાજપના આગેવાન ચેતન પાણએ કહ્યું,  એક સાથે કેસ આવતા સુવિધાઓ ન મળી એટલે ટપોટપ મૃત્યુ થયા. હાલમાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

સરધાર પાસે આવેલા ભંગડા વતની અને સૌરાષ્ટ્ર જીનીંગ એસોસિએશન પ્રમુખ ભરતભાઈ વાળાનું નિધન થયું છે. સૌરાષ્ટ્ર જીનીંગ ક્ષેત્રના મોટું નામના ધરાવતા ઉધોપતિનો કોરોનાએ જીવ લીધો છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 10 દિવસથી ભરતભાઈ વાળાની સારવાર ચાલતી હતી. સૌરાષ્ટ્રના જીનીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જે રાજ્ય માટે ખૂબ જ મોટી રાહતની વાત છે.  કોરોના મહામારીની શરૂઆતથી આજ સુધીમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે. 

 

રાજ્યમાં આજે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 503497  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે. જેમાંથી 775  લોકો વેન્ટિલેટર પર અને 145610 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.52  ટકા છે.  

 

ક્યાં કેટલા મોત થયા ? 

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણા 3, જામનગર કોર્પોરેશન 8,  વડોદરા 4,  રાજકોટ કોર્પોરેશમાં 7,  જામનગર 5, સુરત 4, ભાવનગર કોર્પોરેશમાં 5, જૂનાગઢ  3, ગીર સોમનાથ 1,  જૂનાગઢ કોર્પોરેશન 4,  પંચમહાલ 1, કચ્છ 4, મહીસાગર 0,  બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2,  ગાંધીનગર  1, નવસારી 1, ખેડા 0, પાટણ 3, ગાંધીનગર કોર્પોરેશન 0, ભરૂચ 2, નર્મદા 0, તાપી 1, સુરેન્દ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4,  ભાવનગર 6, વલસાડ 2, છોટા ઉદેપુર 1, અમરેલી 2, અમદાવાદ 0, મોરબી 0, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 1, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 119 લોકોના મૃત્યુ થયા છે.

 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3744,  સુરત કોર્પોરેશન-903,  વડોદરા કોર્પોરેશન 648,  મહેસાણા 497, જામનગર કોર્પોરેશન 398,  વડોદરા 390,  રાજકોટ કોર્પોરેશમાં 386,  જામનગર 328, સુરત 306, ભાવનગર કોર્પોરેશમાં 289, જૂનાગઢ  253, ગીર સોમનાથ 231,  જૂનાગઢ કોર્પોરેશન 229,  પંચમહાલ 223, કચ્છ 211, મહીસાગર 210,  બનાસકાંઠા 207, આણંદ 195, દાહોદ 190, અરવલ્લી 155,  ગાંધીનગર  155, નવસારી 146, ખેડા 142, પાટણ 139, ગાંધીનગર કોર્પોરેશન 131, ભરૂચ 114, નર્મદા 114, તાપી 114, સુરેન્દ્રનગર 112, રાજકોટ 110, સાબરકાંઠા 110,  ભાવનગર 102, વલસાડ 102, છોટા ઉદેપુર 98, અમરેલી 96, અમદાવાદ 93, મોરબી 80, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 32, બોટાદ 19 અને ડાંગ 5 કેસ સાથે  કુલ 12064  કેસ નોંધાયા છે.  

 

 

 

કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,24,941  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 29,89,975  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,32,14,916 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા
મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચૂકાદો, 'પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધને બળાત્કાર ન ગણી શકાય'
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચૂકાદો, 'પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધને બળાત્કાર ન ગણી શકાય'
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
આ છે દુનિયાનો સૌથી અમીર YouTuber, જાણો 5 મિનિટના વીડિયોમાં કેટલી કરે છે કમાણી
આ છે દુનિયાનો સૌથી અમીર YouTuber, જાણો 5 મિનિટના વીડિયોમાં કેટલી કરે છે કમાણી
Advertisement

વિડિઓઝ

Anand Video: આણંદ જિલ્લામાં બુટલેગરો બેફામ, શેરપુરમાં તમાશો કરી પોલીસને ફેંક્યો પડકાર
Uttar Pradesh News : એક ટેટૂના કારણે 16 વર્ષથી લાપતા યુવકનું પરિવાર સાથે મિલન થયું
Ahmedabad news: abp અસ્મિતાના અહેવાલ બાદ અમદાવાદમાં વીજ કરંટથી દંપતિના મોત કેસમાં આખરે નોંધાયો ગુનો
Gandhinagar news : રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી
Abp Asmita Impact: કચ્છમાં abp અસ્મિતાના અહેવાલની અસર, તૂટેલા હાઈવેના અહેવાલ બાદ NHAIના અધિકારીઓ થયા દોડતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા
મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચૂકાદો, 'પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધને બળાત્કાર ન ગણી શકાય'
અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચૂકાદો, 'પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધને બળાત્કાર ન ગણી શકાય'
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Earthquake in Russia: રશિયામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
આ છે દુનિયાનો સૌથી અમીર YouTuber, જાણો 5 મિનિટના વીડિયોમાં કેટલી કરે છે કમાણી
આ છે દુનિયાનો સૌથી અમીર YouTuber, જાણો 5 મિનિટના વીડિયોમાં કેટલી કરે છે કમાણી
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે? જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે? જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઇંગ્લેન્ડે T20 માં 300 રનનો આંકડો પાર કરી રચ્યો ઈતિહાસ, ભારતનો રેકોર્ડ તૂટ્યો
ઇંગ્લેન્ડે T20 માં 300 રનનો આંકડો પાર કરી રચ્યો ઈતિહાસ, ભારતનો રેકોર્ડ તૂટ્યો
ફ્લિપકાર્ટ-એમેઝોન પર આવી રહ્યો છે સેલ, જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી સાથે થઈ જશે ખેલ
ફ્લિપકાર્ટ-એમેઝોન પર આવી રહ્યો છે સેલ, જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી સાથે થઈ જશે ખેલ
ભારતમાં સૌથી વધુ વેચાતી આ કાર પર મળી રહ્યું છે 2.25 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ફીચર્સ છે દમદાર
ભારતમાં સૌથી વધુ વેચાતી આ કાર પર મળી રહ્યું છે 2.25 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ફીચર્સ છે દમદાર
Embed widget