શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આ મહત્વનો બ્રિજ તૂટી પડ્યો, જાણો ક્યો હાઈ-વે કરવો પડ્યો બંધ ?

જામકંડોરણાથી રાજકોટ જતા ફોફડ ડેમ પર આવેલ બ્રિજ ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. બ્રિજ ધરાશાયી થતા જામંકંડોરણા-ગોડલ હાઈ-વે બંધ કરી જેવો પડ્યો છે. સોમવારે ભારે વરસાદ થતાં આ રોડ તૂટી ગયો હતો. 

રાજકોટઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે ત્યારે ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકાનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. સદનસીબે એ વખતે બ્રિજ પર કોઈ નહીં હોવાથી કોઈ નુકસાન થયું નથી.

જામકંડોરણાથી રાજકોટ જતા ફોફડ ડેમ પર આવેલ બ્રિજ ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. આ બ્રિજ ધરાશાયી થતા જામંકંડોરણા-ગોડલ હાઈ-વે બંધ કરી જેવો પડ્યો છે. સોમવારે ભારે વરસાદ થતાં આ રોડ તૂટી ગયો હતો. 

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આ મહત્વનો બ્રિજ તૂટી પડ્યો, જાણો ક્યો હાઈ-વે કરવો પડ્યો બંધ ?
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે અને ઠેક ઠેકાણે લોકો ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ટંકારાના સખપર ગામે પણ 6 લોકો ફસાયાં હતાં. આ ફસાયેલા ૬ લોકોનું પોલીસ દ્વારા ગ્રામજનોની મદદથી કરાયું છે. આ લોકો આખો દિવસ પાણીમાં રહ્યાં હતાં ને મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.

ટંકારાના પી. એસ. આઈ. બી ડી પરમાર, જમાદાર મહોમદભાઈ બલોચ અને સખપર ગામના લોકોએ રેસ્ક્યુ કરી લોકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. આ તમામ ૬ લોકો ગઈકાલે મેલડી માતાજીના મંદિરે તાવો કરવા ગયાં હતા પણ ધોધમાર વરસા પડતાં ફસાયાં હતા. મામલતદાર, મોરબી ફાયર અને પોલીસની ટીમે સોમવારે મોડી રાત્રી સુધી તેમને બહાર કાઢવા પ્રયત્ન કર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેમને બહાર કાઢી શકાયા નહોતા.  મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.

ફસાયેલા લોકોમાં કાંતિભાઈ જગાભાઈ સોલંકી, હિતેશભાઈ મનસુખભાઇ સોલંકી, ગોપાલભાઈ પરસોતમભાઈ સોલંકી, ઉમેશભાઈ રમેશભાઈ સોલંકી (તમામ રહેવાસી) સખપર ગામ અને હરેશભાઇ ચતુરભાઈ અને વિપુલભાઈ સોમાભાઈ (રહે થાન)નો સમાવેશ થાય છે.  તમામ લોકો હેમખેમ બહાર આવતાં પોલીસ અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલથી સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરશે. જામનગર અને રાજકોટ જિલ્લાની મુલાકાત કરશે. હવાઈ નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક પણ કરશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રભાવિત જિલ્લાની મુલાકાતે જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget