શોધખોળ કરો

Rajkot: LRD બોગસ કોલ લેટર કૌભાંડ, 14 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

Rajkot: રાજકોટ LRD ભરતી કૌભાંડના 14 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી

રાજકોટ LRD ભરતી કૌભાંડના 14 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, એલઆરડી ભરતી કૌભાંડમાં બોગસ કોલલેટર મારફતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં રાજકોટ, જસદણ, વિંછીંયા, ચોટીલા અને બાબરા સહિતના વિસ્તારના 21 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ 21 પૈકીના 14 આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે અરજી રદ કરી હતી.                   

ગયા ઓગષ્ટ મહિનામાં LRD ભરતી કૌભાંડનો ખુલાસો થયો હતો. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણૂકપત્રને આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. દસ્તાવેજ વેરીફીકેશનમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પ્રદિપ મકવાણા નામનો યુવક 19 ઓગષ્ટે બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. આ કોલ લેટર જોઈને શંકા ઉભી થતા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. નિમણૂંકપત્રની ચકાસણી કરાતા પ્રદિપ મકવાણાનો નિમણૂંક પત્ર ખોટું હોવાનો ખુલાસો થયો હતો.  જ્યારે આ નિમણૂંકપત્ર પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી હતી.

ક્રાઈમબ્રાંચે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા ભાવેશ ચાવડા નામના વ્યકિતએ ચાર લાખ રૂપિયામાં સેટિંગ કરાવી આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. ભાવેશ ચાવડા પ્રદિપ મકવાણાના માસા હોવાનું પણ સામે આવ્યું હતું. ભાવેશ ચાવડાએ પ્રદિપ મકવાણાને LRDમાં ભરતી કરાવવાનું કહ્યું હતું અને આ માટે એક મહિલા દ્વારા ફોન પણ કરાવ્યો અને ત્યાર બાદ પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હતો.                          

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ચાર લાખ રૂપિયા લઇને નકલી નિમણૂક પ ત્ર મોકલ્યો હતો. 2021ની પરીક્ષામાં પ્રદીપ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હતો. LRD બોર્ડમાં સેટિંગ કરવાનું કહી ચાર લાખ રૂપિયા લીધા હતા. ભાવેશ ચાવડાએ એક મહિલા મારફતે ફોન પણ કરાવ્યો હતો. દસ્તાવેજ વેરિફિકેશનમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.           

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ઉમેદવાર પ્રદીપ મકવાણા, તેના પિતા ભરતભાઈ મકવાણા ,ભાવેશભાઈ ચાવડા તેમજ બાલાભાઈ ચાવડા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪ અને ૧૨૦(બી) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget