શોધખોળ કરો

ભાજપના ગઢ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આજે ગજવશે સભા, તડામાર તૈયારીઓ શરૂ

ભાજપના ગઢ રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સભા ગજવશે. આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી આપના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

રાજકોટઃ ભાજપના ગઢ રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સભા ગજવશે. આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી આપના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટ આવશે. દિલ્હી એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર 02:30 કલાકે કેજરીવાલ પહોંચશે. આપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 

એરપોર્ટથી હોટેલ ઇમ્પીરીયલ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચશે. ઇમ્પિરિયલ હોટેલમાં વેપારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. 5:00 પત્રકાર પરિષદ સંબોધશે. 6 થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટેલ ઇમ્પીરીયલ ખાતે ફરી આવશે. રાત્રી રોકાણ રાજકોટમાં કર્યા બાદ 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટ થી ફરી દિલ્હી જવા રવાના થશે.

Congress CWC Meet: ઉદયપુરમાં 13 થી 15 મે દરમિયાન યોજાનારી ચિંતન શિબિરથી કોંગ્રેસમાં કેટલું પરિવર્તન આવશે તે ભવિષ્ય કહેશે, પરંતુ પાર્ટીમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસ 'એક પરિવાર એક ટિકિટ'ની ફોર્મ્યુલા લાગુ કરી શકે છે. આ ઉપરાંત 'એક વ્યક્તિને એક પદ'નો નિયમ પણ બનાવી શકાય છે. કોંગ્રેસ સમિતિઓમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને મહિલાઓને 50 ટકા હિસ્સો આપવો જોઈએ અને કોંગ્રેસ સમિતિઓનો કાર્યકાળ 3 વર્ષ માટે નક્કી કરી શકાય.

આ તમામ દરખાસ્તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા રચાયેલી સંગઠન બાબતોની સમિતિ દ્વારા ચિંતન શિવિરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિરમાં વ્યાપક ચર્ચા બાદ આ ફેરફારો પર મહોર મારવામાં આવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંગઠન સમિતિના સભ્યના જણાવ્યા અનુસાર, 'એક પરિવાર એક ટિકિટ'ના નિયમમાં એવા નેતાઓના પરિવારો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવશે જેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી સંગઠન માટે કામ કરી રહ્યા છે. એટલે કે, 'એક પરિવાર એક ટિકિટ' નિયમ હોવા છતાં જો પરિવારમાંથી બે વ્યક્તિ સંગઠનમાં સક્રિય હોય તો બંનેને ટિકિટ માટે લાયક ગણી શકાય છે.

જે મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે ગાંધી પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિઓ ચૂંટણી લડી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિયમ એવા નેતાઓના પુત્ર-પુત્રીઓ માટે લાવવામાં આવી રહ્યો છે જેમની ચૂંટણી સમયે પેરાશૂટ એન્ટ્રી હોય છે, પરંતુ જો કોઈ નેતાના પરિવારના વધુ લોકો સંગઠનમાં સક્રિય હોય તો તેમની અવગણના કરી શકાય નહીં. એકંદરે ભાજપ દ્વારા કોંગ્રેસ પર લગાવવામાં આવેલા પરિવારવાદના આરોપોમાંથી મુક્તિ મેળવવાનો આ પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે.

કોંગ્રેસ ભલે પ્રશાંત કિશોરને પાર્ટીમાં નથી લાવી શકી, પરંતુ PKએ કોંગ્રેસને આપેલા સૂચનોની અસર દેખાઈ રહી છે. ચૂંટણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી સંચાલનની જવાબદારી મહાસચિવને સોંપવાનો પણ પ્રસ્તાવ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દરેક લોકસભા મતવિસ્તારમાં એક-એક નિરીક્ષકની નિમણૂક કરવાનો પ્રસ્તાવ પણ છે, આ નિરીક્ષક સીધા જનરલ સેક્રેટરી ચૂંટણી મેનેજમેન્ટને રિપોર્ટ કરશે. તેવી જ રીતે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પણ નિરીક્ષકોની નિમણૂક થઈ શકે છે. જે નેતા મુખ્ય પદ સંભાળશે પછી તેમના માટે ત્રણ વર્ષનો "કુલિંગ ઓફ પીરિયડ" રાખવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડને ફરીથી સક્રિય કરવા માટે વિચારણા ચાલી રહી છે.

હાલ કોંગ્રેસના નેતાઓને ચિંતન શિબીરના પરિણામોથી ઘણી આશાઓ છે. આ ચિંતન શિબીરમાં પાર્ટી હાઈકમાન્ડથી લઈને તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ, વિધાનસભા પક્ષના નેતાઓ, વિદ્યાર્થીઓ, યુવા અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારોના 400 જેટલા પ્રતિનિધિઓ તેમાં ભાગ લેવાના છે. વર્કિંગ કમિટીની બેઠકને સંબોધતા સોનિયા ગાંધીએ નેતાઓને અનુશાસન અને એકતાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "ચિંતન શિબીર માત્ર રસમ-રિવાજ ના સાબિત થવી જોઈએ. પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે." એ જોવું રસપ્રદ રહેશે કે આ ચિંતન શિબિરના મંથન દ્વારા કોંગ્રેસ કયો માર્ગ શોધે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget