શોધખોળ કરો

ગિરનાર પર ધોધમાર વરસાદથી શહેરમાં જળબંબાકાર, પાણીનો પ્રવાહ વધતા દામોદર કુંડ પર SDRF અને પોલીસ તૈનાત

Junagadh Rain: એકસાથે અનેક નદીઓ અને ડેમમાં પૂર આવતા પરિસ્થિતિ ગંભીર, પિતૃ તર્પણ માટે આવેલા શ્રદ્ધાળુઓ ફસાયા.

Torrential rain in Junagadh: જૂનાગઢ અને ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે કલાકમાં શહેરમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ અને ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગિરનાર પર્વત પર 3 ઇંચથી વધુ વરસાદને કારણે દામોદર કુંડ અને જટાશંકર મંદિર પાસે નદીઓમાં પૂર આવ્યા છે. આ સ્થિતિને કારણે પ્રશાસને તત્કાળ પગલાં ભર્યા છે.

શહેર અને તાલુકાઓની પરિસ્થિતિ

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે ઝાંઝરડા રોડ પરનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના ટીંબાવાડી, દોલતપરા, અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ભેંસાણમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. કેશોદ અને માંગરોળ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે ઓઝત નદીનું પાણી ઘેડ પંથકના ગામોમાં ફરી વળ્યું છે. ઓઝત નદીની સુરક્ષા દિવાલ તૂટતા ખેતરોમાં મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. માળીયાહાટીનાના અમરાપુર ગીર ગામમાં પણ મહુડી નદીમાં પૂર આવતા ખેતરોનું ધોવાણ થયું છે, અને ખેડૂતોએ સર્વે અને સહાયની માંગણી કરી છે.

ગિરનાર પર્વત અને પિતૃ તર્પણ

ગિરનાર પર ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવિત્ર અમાસનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરતાં શ્રદ્ધાળુઓને ફરી પ્રવેશ અપાયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસ, ફાયર વિભાગ અને SDRFની ટીમોને ત્યાં તૈનાત કરવામાં આવી હતી.

ડેમ અને નદીઓની સ્થિતિ

જૂનાગઢની જીવાદોરી સમાન હસનાપુર ડેમ ઉપરવાસના વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સોનરખ અને કાળવા જેવી નદીઓમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જટાશંકર ખાતે પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા પ્રવાસીઓને વન વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. નેત્રાવતી નદીનો પાળો તૂટતા પાણી દરિયામાં વહી ગયું છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget