શોધખોળ કરો

ગિરનાર પર ધોધમાર વરસાદથી શહેરમાં જળબંબાકાર, પાણીનો પ્રવાહ વધતા દામોદર કુંડ પર SDRF અને પોલીસ તૈનાત

Junagadh Rain: એકસાથે અનેક નદીઓ અને ડેમમાં પૂર આવતા પરિસ્થિતિ ગંભીર, પિતૃ તર્પણ માટે આવેલા શ્રદ્ધાળુઓ ફસાયા.

Torrential rain in Junagadh: જૂનાગઢ અને ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે કલાકમાં શહેરમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ અને ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગિરનાર પર્વત પર 3 ઇંચથી વધુ વરસાદને કારણે દામોદર કુંડ અને જટાશંકર મંદિર પાસે નદીઓમાં પૂર આવ્યા છે. આ સ્થિતિને કારણે પ્રશાસને તત્કાળ પગલાં ભર્યા છે.

શહેર અને તાલુકાઓની પરિસ્થિતિ

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે ઝાંઝરડા રોડ પરનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના ટીંબાવાડી, દોલતપરા, અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ભેંસાણમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. કેશોદ અને માંગરોળ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે ઓઝત નદીનું પાણી ઘેડ પંથકના ગામોમાં ફરી વળ્યું છે. ઓઝત નદીની સુરક્ષા દિવાલ તૂટતા ખેતરોમાં મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. માળીયાહાટીનાના અમરાપુર ગીર ગામમાં પણ મહુડી નદીમાં પૂર આવતા ખેતરોનું ધોવાણ થયું છે, અને ખેડૂતોએ સર્વે અને સહાયની માંગણી કરી છે.

ગિરનાર પર્વત અને પિતૃ તર્પણ

ગિરનાર પર ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવિત્ર અમાસનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરતાં શ્રદ્ધાળુઓને ફરી પ્રવેશ અપાયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસ, ફાયર વિભાગ અને SDRFની ટીમોને ત્યાં તૈનાત કરવામાં આવી હતી.

ડેમ અને નદીઓની સ્થિતિ

જૂનાગઢની જીવાદોરી સમાન હસનાપુર ડેમ ઉપરવાસના વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સોનરખ અને કાળવા જેવી નદીઓમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જટાશંકર ખાતે પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા પ્રવાસીઓને વન વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. નેત્રાવતી નદીનો પાળો તૂટતા પાણી દરિયામાં વહી ગયું છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',
રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Embed widget