શોધખોળ કરો

Char Dham Tunnel Crash: ઉત્તરકાશીમાં ભયંકર દુર્ઘટના,ટનલ તૂટી પડતાં 50 જિંદગી ફસાઇ, પાઇપ દ્રારા શરૂ કરાઇ ઓક્સિજન સપ્લાય

સાવચેતીના ભાગ રૂપે, ઘણી એમ્બ્યુલન્સ સુરંગની બહાર ઉભી રાખવામાં આવી છે, જેથી બચાવી લેવાયેલા કામદારોને જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ શકાય.

Char Dham Tunnel Crash:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર દિવાળીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે 40 મજૂરો અંદર ફસાયા છે. કામદારોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. 40 લોકોના જીવ બચાવવા હજુ પણ સંઘર્ષ ચાલુ છે. બચાવ કામગીરી માટે મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ડ્રીલ મશીનની પણ મદદ લેવામાં આવી રહી છે. વોકી-ટોકી દ્વારા કામદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને દરેક જણ ઠીક છે. કામદારોને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સાથે જ પાઈપ દ્વારા કામદારોને ખાદ્યપદાર્થોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

ટનલમાં ફસાયેલા કામદારો અલગ-અલગ રાજ્યોના છે. ઉત્તરાખંડ ઉપરાંત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના કામદારો છે. મળતી માહિતી મુજબ, ફસાયેલા મજૂરોમાં ઉત્તરાખંડના કોટદ્વાર અને પિથોરાધના બે મજૂરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝારખંડના 15, ઉત્તર પ્રદેશના 8, બિહારના 4, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2 અને હિમાચલ પ્રદેશના 1 કામદારનો સમાવેશ થાય છે.

20 મીટર કાટમાળ દૂર; હજુ 40 મીટર બાકી છે

પોલીસ પ્રશાસનની ટીમે ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોનો સંપર્ક કર્યો છે. પાઈપ દ્વારા કામદારોને ખાદ્યપદાર્થો સપ્લાય કરવામાં આવી રહ્યા છે. કામદારોએ વહીવટીતંત્રને ખોરાક નહીં, ઓક્સિજન આપવાનું કહ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે સુરંગની અંદર 60 મીટર કાટમાળ ફેલાયેલો છે, જેમાંથી અત્યાર સુધીમાં 20 મીટર કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે અને લગભગ 40 મીટર કાટમાળ હટાવવાનો બાકી છે.

ડીએમએ અધિકારીઓની રજાઓ રદ કરી

અકસ્માત બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ઉત્તરકાશી જિલ્લાના ડીએમએ તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. ડીએમ અભિષેક રુહેલાએ જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક તેમના સંબંધિત કાર્યસ્થળો પર પાછા ફરવા અને રાહત અને બચાવ કામગીરી માટે ચોવીસ કલાક તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈનાત

કામદારોને બહાર કાઢવાના સતત પ્રયાસો ચાલુ છે. દરમિયાન, સાવચેતીના ભાગ રૂપે, ટનલની બહાર ઘણી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી બચાવી લેવામાં આવેલા કામદારોને જરૂર પડ્યે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ શકાય. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ કામદારોને બહાર કાઢવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget