![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP Politics: લોકસભા ચૂંટણી પહેલા કોની સાથે ગઠબંધન કરશે સપા,અખિલેશે કરી મોટી જાહેરાત
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સપા પ્રમુખે હવે ગઠબંધનના મુદ્દે પણ મોટી જાહેરાત કરી છે.
![UP Politics: લોકસભા ચૂંટણી પહેલા કોની સાથે ગઠબંધન કરશે સપા,અખિલેશે કરી મોટી જાહેરાત Samajwadi party chief akhilesh Yadav says not any alliance before lok sabha elections with bsp or congress UP Politics: લોકસભા ચૂંટણી પહેલા કોની સાથે ગઠબંધન કરશે સપા,અખિલેશે કરી મોટી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/11/1202b70a3df87fbba5cdf2647cbd291e167610040323981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP Politics:સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સપા પ્રમુખે હવે ગઠબંધનના મુદ્દે પણ મોટી જાહેરાત કરી છે.
ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને સમાજવાદી પાર્ટીએ પોતાની રણનીતિ પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસો પર નજર કરીએ તો અખિલેશ યાદવ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જઈને કાર્યકર્તાઓની વચ્ચે સમય વિતાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે. ગુરુવારે અખિલેશ યાદવ પૂર્વાંચલના પ્રવાસે હતા. ત્યારપછી તેમને વિપક્ષી એકતાને ધ્યાનમાં રાખીને બીજેપી વિરુદ્ધ અન્ય કોઈ પાર્ટી સાથે સપાના ગઠબંધન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેની અખિલેશ યાદવે બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે હવે યુપીમાં લોકસભા ચૂંટણી પહેલા સપા કોઈ અન્ય પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. જેના કારણે ભાજપ વિરૂદ્ધ એક થનારી વિપક્ષી પાર્ટીઓને પણ ઝટકો લાગી શકે છે.
Big Breaking: નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો, જાણો શું લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ 15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.
સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ
સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.
પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.
ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
અંગે જાણ થતા અસ્મિતા કાતરિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ થતાં જે વ્યકિતનું નામ સામે આવ્યું તે જોઈને અસ્મિતા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જાગૃતિ નારણભાઈ પાંડવ (ઉ.વ.૨૨, રહે. રાધા સ્વામી સોસાયટી, પુણા ગામ, મુળ મહુવા ભાવનગર) ની ધરપકડ કરી છે. આરોપી જાગૃતિ અસ્મિતાના ભાઈની ગર્લફ્રેન્ડ હોવાની વાત સામે આવી છે. બંને યુવતીઓએ સાથે પરીક્ષા આપી હતી. જેમાં અસ્મિતાએ પરીક્ષા પાસ કરી હતી અને જાગૃતિ ફેઈલ થઈ હતી. અસ્મિતા આગળ વધી જશે તેવા વિચારે જાગૃતિએ આ કાવતરૂ કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)